Home Gujarat Jamnagar જામ્યુકોમાં સરકારના પરીપત્રોનો ઉલાળીયો: ચમચાઓનું પાછલા બારણે રાષ્ટ્રીયકરણ : ડે મેયર.

જામ્યુકોમાં સરકારના પરીપત્રોનો ઉલાળીયો: ચમચાઓનું પાછલા બારણે રાષ્ટ્રીયકરણ : ડે મેયર.

0

જામ્યુકોમાં રાજય સરકારના પરિપત્રના ઉલ્લંઘન થતો હોવાનો ખુદ ડે.મેયરનો આક્ષેપ

  • જામનગર મહાપાલિકામાં નિવૃત્ત થતાં કર્મચારીએ ફરીથી કોન્ટ્રાકટ બેઇઝ પર નિમણૂંક આપવામાં આવતી હોવાની ફરિયાદ કરતા તપન પરમાર
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી મહાપાલિકા દ્વારા આપવામાં આવેલી ગરકાયદે નિમણૂંક તાકિદે રદ્ કરવાની માગણી કરતા ડે.મેયર
  • વર્ષોથી કેટલાક કર્મચારીઓને અન્યાય કરીને લાગતા વળગતાઓને પાછલા બારણેથી ખોટા પ્રમોશન અપાતા હોવાનો પણ આક્ષેપ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૪ જૂન ૨૨: રાજ્ય સરકારના પરિપત્રને અવગણીને જામનગર મહાપાલિકામાં નિવૃત્ત થતાં કર્મચારીએ ફરીથી કોન્ટ્રાકટ બેઇઝ પર નિમણૂંક આપવામાં આવતી હોવાની ફરિયાદ ખુદ ડે.મેયરે કરી છે. આ અંગે તેમણે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલી ગરકાયદે નિમણૂંક તાકિદે રદ્ કરી રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે.જામ્યુકોના ડે.મેયર તપન દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા આ પત્રમાં જણાવાયું છે કે, નિવૃત કર્મચારીઓને ફરી કોન્ટ્રાક્ટર બંઇઝમાં કમિશ્નરની નાંધ અને સ્ટે. કમિટીની મંજુરીથી નિમણુંક આપવામાં આવે છે, નિવૃત કર્મચારીને ફરીથી પુન: નિયુક્તિ, કોન્ટ્રાકટ બેઇઝ ફીક્સ પગાર, આઉટસોર્સીંગથી નોકરી પર ફરીથી લેવામાં આવે ત્યારે સરકારના લગત વિભાગની પૂર્વ મંજરી મેળવ્યા બાદ જ તેઓને આવી નિમાગુંક આપી શકાય તેવું સરકારના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે, તેમ છતાં આવી નિમણુંક આપવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા આજ સુધી ચાલુ છે, જો આ કર્મચારી કે અધિકારની જરૂરીયાત હોય તો સરકારની કેમ મંજુરી લીધી નથી ? ત્યારે જામનગર મહાનગરપાલિકામાં જે પ્રકારની નિમણુંક આપી હાય તે તાત્કાલિક લેવલથી આપના લેવલે કાર્યવાહી કરવા માંગણી કરી છે. ડે. મેયરે મ્યુ. કમિશ્નરને લખેલા પત્રમાં તેમણે જણાવ્યુ છે કે, મહાપાલિકાનું 2015 થી અત્યાર સુધીના સેટઅપમાં જની ભરતી ગેરકાયદેસર થઇ છે તેની વિગતો આપવી જાઇએ, તપન પરમારના જાણવા મુજબ કોર્પોરેશનમાં ભરતી બઢતીના કાંઇ નિયમ મંજર થયેલ નથી, રોસ્ટર રજીસ્ટરો પણ સરકારના નિયમ મુજબ બનાવ્યા નથી, પાછલા બારણેથી વહીવટ થાય છે અને લાગતા વળગતાઓને ખોટા પ્રમોશનો આપવામાં આવેલ છે, મંજુર થયલ સેટઅપમાં સીસ્ટમ એંનાલીસ્ટ કમ સિનીયર પ્રોગ્રામર થી સીધી ભરતીથી લાયકાત થયેલ છે અને ભરતી માટે કોઇ પ્રોગ્રામર નિયુક્ત થયેલ નથી, ડેપ્યુટી ફાયર ઓફિસરમાં સૌધી ભરતીથી ભરવાલાયક થયેલ છે, છતાં પણ આ જગ્યા પર બઢતી અપાઇ છે, 2015 થી અત્યાર સુધી સિનીયર કલાર્ક, સ્ટે. આસી., સિસ્ટમ એનાલીસ્ટ કમ સિનીયર પ્રોગ્રામર, જુ.એન્જી., નાયબ ઇજનેર, કાર્યપાલક ઇજનેર જેવી અનેક પોસ્ટ પર બઢતીઓ અપાઈ છે, જમાં ક્યાંય સીધી ભરતી કે બઢતીનો રેશીયા જળવાયો નથી, રોસ્ટર ક્રમાંક ઘ્યાનમાં આવેલ નથી અને સિનીયોરીટી ઘ્યાનમાં લેવાયેલ છે.એમને આ પત્રમાં એવો આક્ષેપ કર્યો હતો કે, વર્ષોથી કેટલાક કર્મચારીઓને અન્યાય કરીને લાગતા વળગતાઓને પાછલા બારણેથી ખોટા પ્રમોશન અપાયા છે, આ તમામ રદ કરવા જોઇએ, અગાઉ જાનવી એમ. ઠાકરને સિસ્ટમ એનાલીસ્ટ કમ સિનીયર પ્રોગ્રામર તરીકે બઢતી અપાયેલ છે, જે ગેરકાયદેસર હોય તો આ હુકમ ર6 કરવો જોઇએ. મહાપાલિકાના જનરલ બોર્ડમાં સેટઅપ મંજુર થયેલ છે, પરંતુ બઢતી ભરતીના કોઇ ધારાધોરણ નથી, લાયકાત નિયત થયેલ નથી, તેમ છતાં આ જગ્યા બઢતીથી ભરાય છે, જાનવી ઠાકર પ્રોગ્રામર તરીકે 2008 માં નોકરી મેળવી, 2008 થી 2015 સુધી પ્રોગ્રામર દ્રારા ઇ ગર્વનર્સની કામગીરી કે કોઇ પ્રાંગ્રામ બનાવવામાં ન આવ્યા, કુલ કેટલા મોડ્યુલ બનાવાય અને કટલાક ’ કુંપની દ્રારા બનાવાયા અને કેટલા મોડયુલનો ઉપયાગ કોર્પોરેશન દ્રારા કરાય છે.ડે. મેયરે કેટલાક મુદ્દા ઉઠાવીને જણાવ્યું હતું કે, ઇ- ગર્વનન્સ કયારે શરૂ થયું અને ક્યારે પુરૂ થયું, અઠવાડીક આવક-જાવકના રીપાંર્ટ અન્વયે એકાઉન્ટ શાખા દ્વારા સ્ટે. કમિટીમાં ઇ ગર્વનન્સ બાબતે એકાઉન્ટ શાખાનું મોડયુલ પુરૂ થયું ન હોય, 2014 થી 2021 સુધી ઇ ગર્વનન્સ કામગીરીમાં શું શું કરવામાં આવ્યું, ક્યાં ધોરણે પ્રોમશન અપાયા તેની કામગીરીનું મૂલ્યાંકન કોને કર્યું, અગાઉ તા. 8/6/ 2021 ના રોજ આપને કોર્પોરેશનમાં છેક્લા કેટલાક સમયથી જુદી જુદી શાખામાં જુદા કેડરમાં કર્મચારીઓ, નિવૃત કર્મચારીઓને કોન્ટ્રાક્ટર બેઇઝથી સ્ટે. કમિટીના ઠરાવ અને કમિશ્નરની નોંધ અંગે પ્રમોશન અપાયેલ છે ત્યારે સરકારના પરિપત્રની શા માટે અમલવારી થઇ નથી તે અંગે તાત્કાલિક પગલા લેવા માંગણી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version