Home Gujarat Jamnagar જામનગર યોગેશ્વરધામ સોસાયટીમાં લગ્ન પહેલા યુવતિનો ગળાફાંસો

જામનગર યોગેશ્વરધામ સોસાયટીમાં લગ્ન પહેલા યુવતિનો ગળાફાંસો

0

જામનગરની યોગેશ્ર્વરધામ સોસાયટીનો બનાવ: બે મહિના પહેલા સગપણ કરનાર યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરતા અરેરાટી

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. ૧૫ ફેબ્રુઆરી ૨૩ જામનગરમાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની એક યુવતીએ ગઈકાલે પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં યોગેશ્વર ધામ શેરી નંબર-પ માં તિરૂપતિ-૨ ની પાછળના ભાગમાં રહેતી જિજ્ઞાબેન કિરીટભાઈ કેસુર નામે ૨૩ વર્ષીય વાણંદ જ્ઞાતિની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં ચુંદડી બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવ અંગે મૃતકના પિતા કિરીટભાઈ ભીખુભાઈ કેસુરે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

મૃતક યુવતીના પિતા કિરીટભાઈ, કે જે ડ્રાઇવિંગ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જયારે મૃતક જીજ્ઞાબેન કે જેનું આજથી બે મહિના પહેલાં જ સગપણ થયું હતું. હજુ લગ્ન થવાના બાકી હતા, તે પહેલાં જ તેણે કોઈપણ સંજોગોમાં આપઘાતનું પગલું ભરી લેતાં પરિવારજનો ભારે હતપ્રભ બની ગયા છે. સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version