Home Gujarat Jamnagar જામનગર નવીવાસના ગરાણા યુવાન પર સરાજાહેર છરી હુમલો

જામનગર નવીવાસના ગરાણા યુવાન પર સરાજાહેર છરી હુમલો

0

જામનગરમાં ગરાણા યુવાન પર છરી વડે સરા જાહેર ઘાતકી હુમલો થતા દોડધામ

  • બે દિવસ પૂર્વે થયલી બોલાચાલીનો ખાર રાખી છાતીમાં અને પેડુમાં છરીના ઘા ઝીંકયા દીધા : વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૯ માર્ચ ૨૪ જામનગરના ખાદી ભંડાર પાસે એક યુવાન પર તેના જ પાડોશીઓએ સામાન્ય બોલાચાલીના ખારમાં છરીના ઘા ઝીંકી જીવલેણ ઈજા પહોંચાડતા સીટી બી. ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગર શહેરના નવીવાસમાં રહેતા અને ગેરેજમાં કામ કરતાં અક્તર ઇગબાલ સઘરાણી જાતે ગરાણા નામના યુવાનને તેમના જ લતામાં રહેતા અસફાક ઉર્ફે બાદશાહ મુનાભાઈ મરીમા સાથે બે દિવસ પૂર્વે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી ગઈકાલેરાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં તેણે છાતીના ભાગે તથા પેડૂના ભાગે છરીનાઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા સૌ પ્રથમ તેને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલ છે.

આ બનાવઅંગે અખ્તરની માતાએ સીટી બી. ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અસફાક ઉર્ફે બાદશાહ વિરૂધ્ધ ઈ.પી. કો. કલમ ૩૨૬, ૫૦૪ તથા જી.પી. એકટ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version