Home Gujarat Jamnagar જામજોધપુરમાં જુગારના દરોડા : 9 શકુની ઝડપાયા

જામજોધપુરમાં જુગારના દરોડા : 9 શકુની ઝડપાયા

0

જામજોધપુરમાં જુગારના બે દરોડામાં નવ શકુની ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭, ઓક્ટોબર ૨૩ જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં પોલીસે જુગાર અંગેના જુદા જુદા બે સ્થળે દરોડા પાડી નવ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ સહિતની માલમતા કબ્જે કરવામાં આવી છે.જામજોધપુરમાં સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જયાં જુગાર રમતા તોફીક હુશેનભાઈ મકરાણી, મોહિન યાકુબભાઈ સમા, અનિલ જગદીશભાઈ વાઢેર, મામુભાઈ ઈરફાનભાઈ તેમજ રવિ મનુભાઈ સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી તેમના પાસેથી રોકડ રૂા. ર૧પ૦ કબ્જે કર્યા હતા.આ ઉપરાંત બીજો દરોડો જામજોધપુરના અમરાપર ગામે જાહેરમાં જુગાર રમી રહેલા મહેશ દિનેશભાઈ પરમાર, ભરત અમરાભાઈ પરમાર, અશોકભાઈ કારાભાઈ ઘોયલ અને ધીરૂભાઈ ગોરધનભાઈ ઝાલાવડીયા સહિત ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ર૮૪૦ કબ્જે કર્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version