Home Gujarat Jamnagar જામનગરમાં છુટાછેડા લેનાર યુવતી ઉપર પૂર્વ દિયર અને સાસુ ટુટી પડ્યા

જામનગરમાં છુટાછેડા લેનાર યુવતી ઉપર પૂર્વ દિયર અને સાસુ ટુટી પડ્યા

0

જામનગરમાં પ્રણામી સ્કૂલ પાસે રહેતી અને છુટાછેડા મેળવેલી યુવતી પર પૂર્વ દિયર અને સાસુએ હુમલો કર્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ નવેમ્બર ૨૩ જામનગરમાં પ્રણામી સ્કૂલ નજીકના વિસ્તારમાં રહેતી અને અને છૂટાછેડા લેનાર યુવતીએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની પૂર્વ સાસુ અને દિયર સામે ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હાલ પ્રણામી સ્કુલની સામે વ્રજભૂમિ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૨૦૨ માં રહેતી મનાલીબેન વિનોદભાઈ ભંડેરી નામની ૨૭ વર્ષની પરણીતાએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની પૂર્વ સાસુ રેખાબેન વલ્લભભાઈ વૈષ્ણવ, અને દિયર પંકજ વલ્લભભાઈ વૈષ્ણવ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મનાલીબેન ને તેણીના પતિ વિનોદભાઈ સાથે છૂટાછેડા થઈ ગયા હતા, અને અલગ રહેતી હતી. દરમિયાન ગઈકાલે મનાલી બેન પોતાના પતિ કે જે સરસ્વતી સોસાયટીમાં રહે છે, ત્યાં ડોક્યુમેન્ટ આપવા માટે તેમજ પોતાની મોટી પુત્રીને મળવા માટે ગઈ હતી. દરમિયાન ત્યાં હાજર રહેલા તેણીના દિયર પંકજભાઈ તેમજ સાસુ રેખાબેન કે જેઓ એ ગાળો ભાંડી હતી, અને ધાકધમકી આપી, ફરીથી નહીં આવવા જણાવી ધક્કો મારી પછાડી દીધી હતી, અને ગાલ પર ઝાપટો મારી હતી.જેથી મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોતાના પૂર્વ સાસુ અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ વધુ તપાસ એચ. એ પરમાર ચલાવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version