Home Gujarat Jamnagar જામનગર ખંઢેરા પાસે અકસ્માત સર્જનાર કારચાલક સામે FIR

જામનગર ખંઢેરા પાસે અકસ્માત સર્જનાર કારચાલક સામે FIR

0

કાલાવડ ના ખંઢેરા નજીક ગોઝારો અકસ્માત સર્જનાર જૂનાગઢના વતની કારચાલક સામે ગુનો નોંધાયો

 દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ ફેબ્રુઆરી ૨૪ જામનગર કાલાવડ ધોરી માર્ગ પર ખંઢેરા નજીક બે દિવસ પહેલાં ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને બે વ્યક્તિ કાળનો કોળિયો બની હતી, જ્યારે ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. જે અકસ્માત સર્જનાર જુનાગઢના કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

કાલાવડ ના ખંઢેરા નજીક બે દિવસ પહેલાં સાંજના સમયે બે કાર સામસામે અથડાઈ પડતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં આર્યદીપસિંહ જયદેવસિંહ વાળા તેમજ લકકીરાજસિંહ દિલીપસિંહ જાડેજાના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે આદિત્યરાજસિંહ ગોહિલ, યજ્ઞદીપસિંહ ગોહિલ, તેમજ અર્જુનસિંહ જાડેજાને ઇજા થઈ હતી. જે ત્રણેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવ અંગે અર્જુનસિંહ જાડેજાએ જી.જે.૯ બી.એ.૪૮૪૪ નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.એ.પરમાર અને તેમના સ્ટાફે જૂનાગઢના કારચાલક સામે ગુનો નોંધ્યો છે, અને તેની કાર કબજે કરી લીધી છે. જોકે તે ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.જે કારમાં બેઠેલી બે મહિલા સભ્યોને પણ ઈજા થઈ હતી, અને તેઓ પણ સારવાર મેળવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version