જામનગર શહેરમાંથી બે પાડા ને કતલખાને લઈ જવાતા જીવદયા પ્રેમીઓએ બચાવ્યા
-
પોલીસે બે કસાઈ શખ્સો સામે ગુનો નોંધી રીક્ષા કબજે કરી પશુને પાંજરાપોળમાં મોકલાવ્યા
-
આરોપી : -(૧) રફીક રજાકભાઇ અઘવાન જાતે-પટણી ઉ.વ.૨૫ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે-પટણીવાળ પુરબીયા ખડકીની બહાર ઘનબાઇ મસ્જીદની બાજુમા જામનગર (૨) હુશેનભાઇ જાનીભાઇ બાબી જાતે-કસાઇ ઉ.વ.૩૨ ધંધો-કસાઇ કામ રહે-કાલાવડનાકા બહાર કસાઇ વાડો ચકલો વિસ્તાર પાંચ હાટડી જામનગર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ મે ૨૪, જામનગર શહેરમાંથી બે અબોલ જીવોને કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં જીવ દયા પ્રેમીઓએ પીછો કરીને રિક્ષામાં લઈ જવાતા બે પશુઓને બચાવી લીધા છે, અને પોલીસને સુપ્રત કર્યા છે. પોલીસે બંને કસાઈ શખ્સોની અટકાયત કરી લઈ પશુને પાંજરાપોળમાં મોકલાવ્યા છે.