Home Gujarat Jamnagar જામનગર માં યુવાનને માર માર્યાંનો Video વાયરલ થયા બાદ 4 સામે ફરિયાદ

જામનગર માં યુવાનને માર માર્યાંનો Video વાયરલ થયા બાદ 4 સામે ફરિયાદ

0

જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા દલિત યુવાન પર જુની અદાવતના કારણે હુમલો કરી હડધૂત કરાયો : ચાર સામે ફરિયાદ

  • ગઈકાલે શોશિયલ વિડિયો વાયરલ થયા બાદ પોલિસ એકશનમાં આવી
  • આરોપી : – (૧) મોહિત ઉર્ફે ઉકેડીયો કિશોરભાઈ આંબલીયા (૨) દર્શન ભાટીયા (૩) સુનિલ કરસનભાઈ ભાટીયા (૪) મયુર કરસનભાઈ ભાટિયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮ જાન્યુઆરી ૨૪ જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા એક દલિત યુવાન પર જુની અદાવત રાખીને ચાર શખ્સોએ હુમલો કરી હડધૂત કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અપાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખેતીવાડી ફોર્મ પાસે સિદ્ધાર્થ નગર શેરી નંબર -૨ માં રહેતા સાગર રામજીભાઈ માંગલીયા નામના ૨૧ વર્ષના દલિત જ્ઞાતિના યુવાન પર યાદવ નગર વિસ્તારમાં રહેતા મોહિત ઉર્ફે ઉકેડીયો કિશોરભાઈ આંબલીયા, દર્શન ભાટીયા, સુનિલ કરસનભાઈ ભાટીયા, અને મયુર કરસનભાઈ ભાટિયા સામે પોતાને માર મારી હડધુત કરાયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી બે વર્ષ પહેલાં ફરિયાદીના મિત્ર સંદીપ તથા આરોપી સાથે માથાકૂટ થઈ હતી, જેનું મનદુઃખ રાખીને ચારેય આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી મૂઢ ઇજા પહોચાડી હતી, અને હડધુત કરાયો હતો. આથી સીટી.સી.ડીવી પોલીસે ઇપીકો કલમ-૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧), તથા એસ્ટ્રોસીટી એકટ કલમ-૩(૧) (એસ)૩ (૨) (પ-એ) મુજબ ગુનોં નોંધાયો હતો ઉપરોકત આરોપીઓ બનાવ બાદ ભાગી છૂટયા હોવાથી પોલીસે તમામ આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version