અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને જામનગર એસ.ઓ.જી. દ્વારા તમામ જાહેર સ્થળો પર સધન ચેકિંગ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ જાન્યુઆરી ૨૪, અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં તંત્ર દ્વારા એલર્ટ રખાયું છે, જેના ભાગરૂપે જામનગર શહેરમાં પણ તમામ જાહેર સ્થળો તેમજ ધાર્મિક સ્થળો પર પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.