Home Gujarat Jamnagar જામનગરના રાજગોર ફળીમાં પૂર્વ નગરસેવિકા તથા તેના પતિને પુત્ર દ્વારા મારી નાખવાની...

જામનગરના રાજગોર ફળીમાં પૂર્વ નગરસેવિકા તથા તેના પતિને પુત્ર દ્વારા મારી નાખવાની ધમકી: ભારે ચકચાર 

0

જામનગરમાં ઘરમાં લાઈટ ચાલુ રાખવા જેવી બાબતમાં પૂર્વ નગરસેવિકા તથા તેના પતિને પુત્ર દ્વારા મારી નાખવાની ધમકી 

  • માતાપિતાને છરી બતાવી પતાવી દેવાની ધમકી આપતા ભારે ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર ૩૧ જુલાઈ ૨૨ જામનગર શહેરના રાજગોર ફળી વિસ્તારમાં રહેતા પૂર્વ મહિલા  કોર્પોરેટર નયનાબેનનો પુત્ર જીગર કલ્યાણીએ પ્રકાશ્યું છે ઘરમાં લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં માતા – પિતાને જ છરી બતાવીને પતાવી દેવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.જામનગરમાં રાજગોર કળી શેરી નંબર – ૨ માં રહેતા પૂર્વ મહિલા કોર્પોરેટર નયનાબેન કલ્યાણીના પતિ ભરતભાઈ મોહનભાઈ કળ્યાણી દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પુત્ર સામે છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

સુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરના રાજગોર ફળી શેરી નં-૨ “પ્રશાંત” પંજાબ બેંક વાળી શેરીમાં રહેતા ફરિયાદી ભરતભાઈ કલ્યાણીનો પુત્ર અવાર-નવાર ઝઘડા કરતો રહે છે. ઘરમાં જરૂરિયાત સિવાયની લાઈટો બંધ કરવાના મામલે જીગરે પોતાના માતા પિતા સાથે ભારે જીભાજોડી કરી હતી અને પુત્રનો પીતો જતા બંનેને છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપી હતી જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતોઆથી પોલીસે ભરતભાઈની ફરિયાદના આધારે IPC કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬( ૨) તથા જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ જીગર કલ્યાણી સામે ગુનોનોંધી વધુ તપાસ કરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version