Home Gujarat Jamnagar જામનગર મનપાના વિરોધપક્ષના નેતા તરીકે ઘવલ નંદાની વરણી

જામનગર મનપાના વિરોધપક્ષના નેતા તરીકે ઘવલ નંદાની વરણી

0

જામ્યુકો વિરોધપક્ષના નવા હોદ્દેદારોની વરણી

  • વિરોધપક્ષના નેતા તરીકે ધવલ નંદા, ઉપનેતા તરીકે કોર્પોરેટર રાહુલ બોરીચા તેમજ દંડક તરીકે સમજુબેન પારિયાની પણ વરણી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૦૩ જાન્યુઆરી ૨૨ જામનગર મહાનગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા તરીકેની કોંગ્રેસ પાર્ટીમાં સમજૂતીથી રોટેશન નકકી કર્યું હતું. આજે આનંદભાઈ રાઠોડની મુદત પૂરી થઈ છે, અને કોર્પોરેટર ધવલભાઈ નંદાની વિપક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે. જામનગરના વોર્ડ નંબર 13 ના કોંગી કોર્પોરેટર ધવલ સુરેશભાઈ નંદાની આજે વિરોધ પક્ષના કાર્યાલયમાં વિપક્ષના નેતા તરીકે સર્વાનું મતે વરણી કરવામાં આવી હતી.આ ઉપરાંત ઉપનેતા તરીકે વોર્ડ નંબર 6 ના બ.સ.પાના. કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા, જયારે દંડક તરીકે વોર્ડ નંબર -1 ના કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર સમજુબેન દીપુભાઈ પારીયા ની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ખંભાળિયા વિસ્તારના પૂર્વ કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ઉપરાંત જામનગર શહેરના પ્રમુખ દીગુભા જાડેજા વગેરેની ઉપસ્થિતિમાં વિપક્ષી નેતા- ઉપનેતા અને દંડક તરીકેની વરણી કરવામાં આવી હતી, આ વેળાએ અન્ય વિપક્ષી કોર્પોરેટરો હાજર રહ્યા હતા, અને સર્વેએ ત્રણેય નવ નિયુક્ત હોદ્દેદારોનું ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version