Home Gujarat Jamnagar જામનગરમાં વૃદ્ધાને પાડોશીએ બેરહેમીથી માર માર્યો : 4 સામે ફોજદારી

જામનગરમાં વૃદ્ધાને પાડોશીએ બેરહેમીથી માર માર્યો : 4 સામે ફોજદારી

0

જામનગરમાં કિસાન ચોક નજીક ગણેશ વાસ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધિ મહિલા પર પાડોશીઓનો હુમલો : ચાર સામે ફરિયાદ

  • આરોપી : – (૧) ખીમીબેન દેવશીભાઇ પરમાર (૨) ભરતભાઇ કમાભાઇ પારીયા (૩) રમેશભાઇ કાનજીભાઇ પરમાર (૪) હમીરભાઇ કાનજીભાઇ પરમાર રહે બધા. જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪, મે ૨૪ જામનગરમાં કિસાન ચોક નજીક ગણેશવાસ વિસ્તારમાં રહેતા માયાબેન દેવશીભાઈ વિંઝુડા નામના ૬૫ વર્ષ ના બુઝુર્ગ મહિલાને તેના પાડોશમાજ રહેતા ચાર શખ્સોએ સામાન્ય બાબતમાં તકરાર કરી ઈંટોના ઘા કરી ઇજા પહોંચાડતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જેમાં તેઓને ગાળાના ભાગે હાથના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં મૂઢ ઇજા થઈ છે, અને જીજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોસ્ટેબલ એમ. આર. પરમાર જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને માયાબેન વિંઝુડા ની ફરિયાદના આધારે પાડોશી ખિમીબેન દેવશીભાઈ પરમાર, ભરત કમાભાઈ પારીયા, રમેશ કાનજીભાઈ પરમાર અને હમીર કાનજીભાઈ પરમાર સામે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬-૨,૧૧૪ તેમજ જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version