Home Gujarat Jamnagar જામનગર ખંભાળિયા હાઇ-વે પર ચાલતા સરકારી કામમાં થઈ ફરજ રૂકાવટ: ઝાખરના શખસ...

જામનગર ખંભાળિયા હાઇ-વે પર ચાલતા સરકારી કામમાં થઈ ફરજ રૂકાવટ: ઝાખરના શખસ સામે ફરિયાદ

0

ખંભાળિયા હાઇ-વે પર ચાલતા સરકારી કામમાં ફરજ રૂકાવટની ઝાખરના શખસ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર નજીકના ઝાંખર પાટીયા પાસે ગઈકાલે રોડના કામ દરમિયાન શંભુપ્રસાદ વ્રજકિશોર શાહ (રહે. મુળ રામપુર મુકુંદ ગામ તા. સીસવા જી.ગોપાલગંજ રાજય બિહાર હાલ રહે. એન.આર. ગોલાય ધરમપુર ગામ તા.જામ ખભંભાળીયા જી.દેવભુમી દ્વારકા) વાળા સરકારી અધિકારીને અજીતસિંહ ભીખુભા જાડેજા રે. ઝાંખર ગામ તા.લાલપુર જી.જામનગર વાળા સખ્સે ચાંમુડા હોટલ પાસે ખાડા પડેલ છે તે બુરવાનું કહી તેના કામમાં ગેરકાયદેસર અવરોધ ઉભો કર્યો હતો. ત્યારબાદ ઉસ્કેરાઈ ગયેલ સખ્સે અધિકારીને ત્રણ-ચાર ઝાપટો મારી, વાણીવિલાસ આચાર્યો હતો

તેમજ અંકુરને લાકડી બતાવી માર મારવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ફરિયાદના આધારે મેઘપર પોલીસે ઝાખર ગામના સખ્સની શોધખોળ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version