Home Gujarat Jamnagar અમરાપર ગામના ખેડૂતને માથામાં ઝીંકયા ધારિયા : ચાર સામે ફરિયાદ

અમરાપર ગામના ખેડૂતને માથામાં ઝીંકયા ધારિયા : ચાર સામે ફરિયાદ

0

અમરાપર ગામના ખેડૂત ઉપર ધારિયા વડે હુમલો: ચાર સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં રહેતા રામદેવભાઈ ઓઘડભાઈ ખુંટી નામના ખેડૂતે પોતાના ઉપર ધારીયા વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડવા અંગે ઉપલેટા પંથકના કારાભાઇ ગાંગાભાઈ જોગ, નેભા ભાઈ કારાભાઈ જોગ, ગગુભાઈ જોગ, ઉપરાંત પરડવા ગામના ગોવાભાઇ જેઠાભાઇ વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદના જાહેર કરાયા અનુસાર ફરીયાદી પોતાના સાળા પ્રદીપ ની જગ્યા માં વાવેતર કરી રહયા હતા.જે દરમિયાન ચારેય આરોપીઓએ આવીને આ જગ્યામાં અમારે વાવવું છે, તેમ કહી તકરાર કરી હતી અને ધારીયા વડે માથાના ભાગે હુમલો કરી દીધો હતો.

જે ફરિયાદ ના બનાવ અંગે જામજોધપુર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે, જ્યારે ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version