Home Devbhumi Dwarka દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર તરીકે જી.ટી. પંડ્યા નિમાયા : જામનગરની જગ્યા હજુ...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર તરીકે જી.ટી. પંડ્યા નિમાયા : જામનગરની જગ્યા હજુ ખાલી

0

હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાના જિલ્લા સમાહર્તા ની બદલી

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર તરીકે જી.ટી. પંડ્યા નિમાયા: જામનગરની જગ્યા હજુ ખાલી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૧ જાન્યુઆરી ૨૪, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૫૦ આઈએએસ અધિકારીઓ ની બદલીઓ કરી છે, જેમાં હાલારના બંને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટરોની બદલી થઈ છે, જે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવા કલેકટર તરીકેની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ જામનગર જિલ્લા કલેકટર ની જગ્યા હજુ ખાલી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા લોકસભા ની ચૂંટણીએ અનુસંધાને બદલાવ કરવામાં આવ્યો છે, અને રાજ્યભરમાંથી કુલ ૫૦ આઈ.એ.એસ. અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેના અનુસંધાને જામનગરના જિલ્લા કલેકટર બી.એ. શાહની વડોદરા ના કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. જો કે હાલ તેઓ હૃદય રોગના હુમલાની અમદાવાદમાં સારવાર મેળવી રહ્યા છે. તેમના સ્થાને જામનગર જિલ્લામાં હજુ કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી, અને જગ્યા ખાલી રહી છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર અશોક શર્માની પણ બદલી કરવામાં આવી છે. તેઓના સ્થાને મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version