Home Gujarat Jamnagar જામનગરના સપડા ડેમમાં ન્હાવા પડેલા એક જ પરિવારના 3 સહિત 5 લોકોના...

જામનગરના સપડા ડેમમાં ન્હાવા પડેલા એક જ પરિવારના 3 સહિત 5 લોકોના મોતથી અરેરાટી

0

જામનગરના સપડા ડેમમાં નહાવા પડેલા એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકો મોતથી અરેરાટી

  • મૃતકોના નામ (૧) મહેશભાઈ કારાભાઈ મંગે (ઉવ. ૪૪ ) (૨) લીનાબેન મહેશભાઈ મંગે (ઉવ .૪૧) (૩) સિદ્ધ મહેશભાઈ મંગે (ઉવ.૨૦) (૪) અનિતાબેન વિનોદભાઈ દામા (ઉવ .૪૦) (પ) રાહુલ વિનોદભાઈ દામા (ઉવ.૧૭)
  • સપડા ફરવા ગયેલો ભાનુશાળી પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચના ડુબી જવાથી મોત નિપજ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ જુલાઇ ૨૩ જામનગરના નજીક આવેલા સપડા ડેમમાં નહાવા પડેલા એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં બે મહિલા, બે પુરુષો અને એક યુવકનું મોત નિપજ્યું છે બનાવની જાણના પગલે ફાયરને જાણ કરાઇ હતી 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને રેસ્ક્યુ કરવાની કામગીરી શરુ કરી હતી, ફાયર વિભાગે પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ કારાભાઈ મંગે (કચ્છી, ભાનુશાળી) પોતાના પત્ની, પુત્ર અને બે પાડોશીઓ સાથે સપડા ડેમ ખાતે ફરવા ગયા હતા તેવામાં ડેમમાં ન્હાવા પડતા પાંચેયના મોત નિપજ્યા હતા આ ઘટનામાં ભોગ બનેલો સિદ્ધ મહેસભાઇ મંગે મહેસાણા ખાતે એન્જિનિયરનો અભ્યાસ કરતો હતો અને ગઇકાલે જ મહેસાણાથી જામનગર આવ્યો હતો.ત્યારે આજે પરિવાર સાથે ફરવા ગયો હતો. ત્યા સપડા ડેમમાં ન્હાવા પડતા એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચ લોકોના મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી ફાયરે પાંચેય મૃતદેહ બહાર કાઢી મૃતદેહ બહાર કાઢીને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version