Home Gujarat Jamnagar જામનગરમાં ચાલુ બાઈકમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ

જામનગરમાં ચાલુ બાઈકમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ

0

જામનગરમાં શરુ શેકશન રોડ પરથી પસાર થઈ રહેલા એક યુવકને ચાલુ બાઈકમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ઓગસ્ટ ૨૪, જામનગરમાં શરુ સેક્શન રોડ ઉપર થી બાઈક પર જઈ રહેલા એક યુવકને ચાલુ બાઈકમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેને બેશુદ્ધ અવસ્થામાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ ફરજ પરના તબીબે તેનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

જામનગરમાં ગઈકાલે શરૂ સેક્શન રોડ પરથી બાઇકમાં જઈ રહેલા અનીલ કિશોરભાઈ પાણખાણીયા નામના યુવકને ચાલુ બાઈકે હાર્ટએટેક આવતાં ત્યાજ ઢળી પડ્યો હતો. દરમિયાન બાજુમાંથી પસાર થતા આશિફ નામના યુવાને મદદે દોડી જઇ ૧૦૮ ની ટિમ ને જાણ કરી હતી. જે ટુકડી આવી પહોંચ્યા પછી યુવકને બેશુદ્ધ હાલત માં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, અને તેનું હાર્ટ ફેઇલ થઈ જવાથી મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version