જામનગરના સરમતમાં નજીવી બાબતે યુવાન પર 4 શખ્સોનો જીવલેણ હુમલો
સરમતમાં શક્તિસિંહ ઉર્ફે સંદિપસિંહ નટુભા જેઠવા નામનો યુવાન મંદિરે આરતી કરી આવતા 4 શખ્સોએ રસ્તામાં રોકીને મરણતોલ માર મારતા નાસભાગ મચી જવા પામેલ હતી.
આરોપી :- ( ૧ ) વિશ્વજીતસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (૨) પૃથ્વીરાજસિંહ ભરતસિંહ જાડેજા (૩) જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા ( ૪ ) મહિપતસિંહ ભવાનસિંહ જાડેજા રહે બધા સરમત ગામ તાજી જામનગર
જામનગર નજીકના સરમત ગામની હાઇસ્કુલ પાસે રહેતા શક્તિસિંહ ઉર્ફે સંદિપસિંહ નટુભા જેઠવા નામના યુવાનને આરોપીના કાકા સાથે બે દિવસ પહેલા સામાન્ય બાબતમાં ઝગડો થયો હતો અને બાદમાં મોટાવની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો જે બાબતનો ખાર રાખી ગઇકાલ રાત્રે શક્તિસિંહ ગાત્રાળ માતાજીના મંદિરે આરતી કરી પોતાના ઘરે પરત જતા હોય તે દરમિયાન ઉપરોક્ત આરોપીઓએ ફરિયાદી શક્તિસિંહને રોકી ભૂંડી ગાળો આપી આરોપી વિશ્વજીતસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ ફરિયાદીના માથાના ભાગે પાઇપનો ઘા ફટકારી દેતા યુવાન ઢળી પડ્યો હતો બાદમાં સાથે રહેલા તથા આરોપી નંબર ૨,૩ અને ૪ વાળાઓએ ઢિકા પાટુંનો મરણતોલ માર મારી એક બીજાની મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છુટ્યા હતા.