Home Gujarat Jamnagar જામનગર તાલુકાના સિક્કામાં બે પાડોશીઓ વચ્ચે થયેલી તકરાર ના મામલે વળતી ફરિયાદ

જામનગર તાલુકાના સિક્કામાં બે પાડોશીઓ વચ્ચે થયેલી તકરાર ના મામલે વળતી ફરિયાદ

0

જામનગર તાલુકાના સિક્કામાં બે પાડોશીઓ વચ્ચે થયેલી તકરાર ના મામલે વળતી ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૧ જાન્યુઆરી ૨૪ જામનગર તાલુકાના સિક્કા મા ગોકુલપુરી વિસ્તારમાં ગઈકાલે પાણી ઉડાડવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને બે ભાઈઓ પર દંપતી સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવાઇ હતી,જે મામલે આજે વળતી ફરિયાદ થઈ છે, અને બંને ભાઈઓ વિરુદ્ધ પાડોશી દંપતી અને તેના બે સંતાનો પર હુમલો કરાયાની વળતી ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગર તાલુકાના સિક્કામાં ગોકુલપુરી વિસ્તારમાં રહેતા અનિરુદ્ધસિંહ નવલસિંહ પિંગળ નામના યુવાને પાણી ઉડાડવાના પ્રશ્ને તકરાર થયા પછી પાડોશમાં રહેતા કરસન વાઘેલા, અને રણમલ વાઘેલા સામે પોતાના ઉપર તેમજ પોતાના માતા-પિતા અને બહેન વગેરે ઉપર લાકડાના ધોકાવાડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવી છે.જે મામલે સિક્કા પોલીસે IPC કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા જીપી.એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુુનો નોધી વધુ તપાસ હે.કો સુધીરસિંહ જાડેજા ચલાવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version