Home Gujarat Jamnagar પંચેશ્વર ટાવર ફરતે દબાણ દૂર કરવા ગયેલ એસ્ટેટની કામગીરીમાં કોર્પોરેટરના ‘પતિદેવ’ બન્યા...

પંચેશ્વર ટાવર ફરતે દબાણ દૂર કરવા ગયેલ એસ્ટેટની કામગીરીમાં કોર્પોરેટરના ‘પતિદેવ’ બન્યા ખલનાયક

0

પંચેશ્વર ટાવર ફરતે દબાણ દૂર કરવા ગયેલ એસ્ટેટની કામગીરી કોર્પોરેટરના ‘પતિદેવ’ બન્યા ખલનાયક: કર્મચારી ઉપર ‘રોફ’ જમાવ્યો : એસ્ટેટમાં રેવું છે કે.. પછી.. પાછા બદલાની નાખુ.!!

જામનગરના પંચેશ્વર ટાવરની ફરતે દબાણ કરીને ઊભા રહેતા ચાર જેટલા રેકડી ધારકોને આજે એસ્ટેટ શાખાની ટુકડીએ દૂર કર્યા છે: પાછા આવી ગયા. પંચેશ્ર્વર ટાવરની રેલિંગની અંદર માલસામાન ખડકી દેતા બ્યુટીફીકેશન લાગ્યું ગ્રહણ: કાયમી રાઉન્ડ લગાવા લોકોની માંગદેશ દેવી ન્યુઝ જામનગર 19. જામનગરની મધ્યમાં આવેલા પંચેશ્વર ટાવર નજીક કેટલાંક રેકડી ધારકો અડીંગો જમાવીને ઉભા રહે છે, એટલું જ માત્ર નહીં પરંતુ પંચેશ્વર ટાવરની ફરતી બનાવાયેલી રેલિંગની અંદર પોતાનો માલ સામાન ખડકી દઇ ટાવરની અંદર પણ દબાણ કરી રહ્યા છે, જે અંગેની ફરિયાદ મળ્યા પછી આજે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી પંચેશ્વર ટાવર પાસે પહોંચી ગઈ હતી, અને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેવામાં કોર્પોરેટરના પતિદેવે વિલન બની રોફ જમાવ્યો..સાથે કામગીરી ”ન” કરવા દબાણ કર્યું  કર્મચારીને જુના ફિલ્મી ડાયલોગના તાલે ડાટી મારી જોઈ લેશું..પંચેશ્વર ટાવરની ફરતે શેરડીના રસનો વિક્રેતા, એક ગાંઠીયાનો વિક્રેતા, ઉપરાંત ચાનું વેચાણ કરતાં એક વિક્રેતા વગેરે દ્વારા દબાણ કરવામાં આવેલું છે, એટલું જ માત્ર નહીં કેટલાક રેંકડી ધારકો દ્વારા પોતાનો માલ સામાન પંચેશ્વર ટાવરની ફરતે બનાવવામાં આવેલી સુરક્ષાની રેલિંગ કે જેની અંદર પણ પોતાનો માલસામાન રાખીને દબાણ સર્જે છે, સાથોસાથ પંચેશ્વર ટાવરનું બ્યુટીફીકેશન પણ બગાડી નાખે છે. આવા રેકડીધારકો સામે આજરોજ સવારથી કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને પંચેશ્વર ટાવર નું પરિસર સંપૂર્ણપણે ખાલી કરાવી દેવાયું છે. પરંતુ કોર્પોરેટરના પતિદેવ એસ્ટેટની કામગીરીમાં ખલનાયક બની જતા રકજક બાદ કર્મચારીએ ટસમાંથી મસ ન થઈ તમામ રેકડી હટાવી લેવાની કામગીરી હાથ ધરી હતી

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version