Home Gujarat Jamnagar જામનગર જોગવડ ગામની મહિલા પુત્ર સાથે ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતા

જામનગર જોગવડ ગામની મહિલા પુત્ર સાથે ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતા

0

જોગવડ ગામ ની મહિલા પુત્ર સાથે ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૭ માર્ચ ૨૩, જામનગર જિલ્લા નાં લાલપુર તાલુકા ના જોગવડ ગામના તળાવનેસમાં રહેતી એક મહિલા ત્રણ વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળ્યા પછી લાપત્તા બની જતાં પિતા એ પોલીસ ને જાણ કરી છે. લાલપુર તાલુકાના જોગવડના તળાવનેસમાં રહેતા વનરાજભાઈ રણછોડભાઈ સુમેત ની પરિણીત પુત્રી પુખીબેન ભોજકરણ વિજાણી (ઉ.વ.ર૪) ગઈ તા.૨ ફેબ્રુઆરી ની સાંજે પોતાના ત્રણ વર્ષના પુત્ર ધવલ ને ભાગ લઈ દેવા માટે જવાનું કહીને પિતા ના ઘરે થી નીકળ્યા પછી ગુમ થઈ છે.

આ યુવતી પાંચેક ફૂટની ઉંચાઈ, પાતળો બાંધો, ઘઉંવર્ણાે વાન ધરાવે છે. તેણીના બંને હાથમાં ત્રાજવા ત્રોફાવેલા છે. છેલ્લે તેણીએ લાલ પહેરણ, લાલ ઓઢણું પહેર્યા હતા. પિતા વનરાજભાઈ એ પોતા ની પુત્રી ગુમ થવા અંગે પોલીસને જાણ કરી છે. આ યુવતી અંગે કોઈ જાણકારી હોય તો તેઓએ મેઘપર પોલીસ સ્ટેશનના જમાદાર વી.સી. જાડેજા-૯૨૬૫૨ ૦૦૫૩૭ નો સંપર્ક કરવા જણાવાયું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version