Home Gujarat Jamnagar જામજોધપુરના સીદસર ગામે લોખંડની પટ્ટીઓ ચોરી થયાની ફરીયાદ

જામજોધપુરના સીદસર ગામે લોખંડની પટ્ટીઓ ચોરી થયાની ફરીયાદ

0

જામજોધપુરના સીદસર ગામમાં ઉમિયા માતાજીના મંદિર નજીક રોડનું ડિવાઇડર બનાવવા માટેની ૨૯ નંગ લોખંડની પટ્ટીઓની ચોરી થયાની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ  જામનગર ૧૦ જૂન ૨૪, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમિયા માતાજીના મંદિર નજીક સીસી રોડ નું ડીવાઇડર બનાવવા માટેની ૨૯ નંગ જેટલી લોખંડની પટ્ટીઓ રાખવામાં આવી હતી. જે લોખંડની પટ્ટી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.

જે ચોરીના બનાવ અંગે મંદિરમાં નોકરી કરતા રાકેશભાઈ કાંતિભાઈ પાડલીયાએ જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.પી. જાડેજાએ તપાસ શરૂ કરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version