Home Gujarat Jamnagar જામનગરના ગાંધીનગરમાં પરિણીતાને સાસરિયાઓના ત્રાસની ફરિયાદ.

જામનગરના ગાંધીનગરમાં પરિણીતાને સાસરિયાઓના ત્રાસની ફરિયાદ.

0

જામનગરના ગાંધીનગરમાં પરિણીતાને સાસરિયાઓના ત્રાસની ફરિયાદ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તેણીના સાસરિયાંઓએ મારકૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હોવાથી તેણીએ પોતાના સાસરીયાઓ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર ગાંધીનગર વિસ્તારમાં રહેતી અંજનાબેન વિશાલભાઈ ઝાલા નામની 27 વર્ષની પરિણીતાને તેણીના પતિ સાસુ સહિતના સાસરિયાઓએ અવારનવાર મેણા ટોણા મારી ત્રાસ ગુજારી પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી.

આથી તેણે મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. જેથી મહિલા પોલીસની ટીમે અંજનાબેન ની ફરિયાદના આધારે તેણીના પતિ વિશાલભાઈ કિરીટભાઈ ઝાલા, સસરા કિરીટભાઈ અમૃત ભાઈ ઝાલા, સાસુ શોભનાબેન કિરીટભાઈ ઝાલા, અને દિયર ચિરાગભાઈ કિરીટભાઈ ઝાલા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version