Home Gujarat Jamnagar જામનગરના આણદાબાવા આશ્રમના ચિલ્ડ્રન હોમમાંથી તરૂણના અપહરણની ફરિયાદ

જામનગરના આણદાબાવા આશ્રમના ચિલ્ડ્રન હોમમાંથી તરૂણના અપહરણની ફરિયાદ

0

જામનગરના આણદાબાવા આશ્રમના ચિલ્ડ્રન હોમમાંથી તરૂણના અપહરણની ફરિયાદ

  • લીમડા લાઇન સહિત આજુબાજુના CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૭ જુલાઈ ૨૩  જામનગર ના લીમડાના વિસ્તારમાં આવેલા આણદાબાવા આશ્રમના ચિલ્ડ્રન હોમમાં રહીને દસમા ધોરણમાં અભ્યાસ કરતો મિલન વાલજીભાઈ ગાજરોતર નામનો 15 વર્ષ નો બાળક આશ્રમમાંથી પરમદીને બપોરે ચારેક વાગ્યાના અરસામાં લાપતા બની ગયો હતો. આશ્રમના સંચાલકો દ્વારા તેની શોધખોળ કરાયા પછી કોઈ પતો નહીં મળતાં આખરે સિટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને આશ્રમના ગૃહપતિ તરીકે ફરજ બજાવતા હરિભાઈ લવજીભાઈ પટેલે કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા બાળકનું અપહરણ કરાયું હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.

જે મામલે સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા આશ્રમ અને લીમડાના તેમજ જામનગરની ખાનગી ટ્રાવેલ્સની ઓફીસ સહિતના કેટલાક સીસીટીવી કેમેરાઓ ચકાસાયા છે, અને બાળક શોધવા માટેની કવાયત શરૂ કરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version