Home Gujarat Jamnagar નાગરપરા વિસ્તારમાં બહેનના લાખોના દાગીના પચાવી પાડ્યાની ભાઇ-ભાભી સામે ફરિયાદ

નાગરપરા વિસ્તારમાં બહેનના લાખોના દાગીના પચાવી પાડ્યાની ભાઇ-ભાભી સામે ફરિયાદ

0

જામનગરમાં બહેનના લાખોના દાગીના પચાવી પાડ્યાની ભાઇ-ભાભી સામે ફરિયાદ

  • યુવતીએ પોતાના સ્ત્રી ધનનું રૂપિયા પાંચ લાખનું સોનું સાચવવા આપ્યું’તુ…

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૧ ડીસેમ્બર ૨૨ જામનગરમાં નાગરપરા વિસ્તારમાં રહેતી પુનિતાબેન સંજયભાઈ ચાંદ્રા નામની 40 વર્ષની ભાનુશાળી જ્ઞાતિની પરણીત યુવતીએ પોતાનું રૂપિયા પાંચ લાખની કિંમતનું 15 તોલા સોનું પચાવી પાડવા અંગે પોતાના ભાઈ પ્રવીણભાઈ કાંતિભાઈ કનખરા, સોનલબેન પ્રવીણભાઈ કનખરા તેમજ દીપક કાંતિભાઈ કનખરા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગત 02 ડિસેમ્બર 2014 ના સમયગાળા દરમિયાન પુનિતાબેને પોતાનું સ્ત્રીધન જેમાં ચાર તોલા સોનાનું મંગળસૂત્ર, ચાર નંગ સોનાની બંગડી, બે નંગ સોનાની વીંટી, બે નંગ સોનાના કડા, એક નંગ સોનાનો હાર, બે નંગ સોનાના ચેન , સોનાનો નાકનો દાણો વગેરે મળી 15 તોલા સોનું સાચવવા માટે આપ્યું હતું.

જે પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બે ભાઈઓ અને ભાભી સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version