Home Gujarat Jamnagar જામનગરના બેડેશ્વરમાં સગીરાને ભગાડી તેના પર દુષ્કર્મ આચર્યાની વીધર્મી શખસ સામે ફરિયાદ

જામનગરના બેડેશ્વરમાં સગીરાને ભગાડી તેના પર દુષ્કર્મ આચર્યાની વીધર્મી શખસ સામે ફરિયાદ

0

જામનગરના બેડેશ્વરમાં સગીરાને ભગાડી તેના પર દુષ્કર્મ આચર્યાની વીધર્મી શખસ સામે ફરિયાદ

આરોપી શખસને મહેસાણા જિલ્લામાંથી ઝડપી લેતી LCB

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને રાત્રિના સમયે લલચાવી-ફોસલાવીને ઝાકીર કાસમ સંઘાર નામનો શખસ ભગાડી ગયો હતો જે અંગેની પોલીસ ફરિયાદ સિટી-બી ડિવિઝનમાં નોંધાવવામાં આવી હતી.

સગીરાના અપહરણની ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ તેમાં એલસીબીએ ઝંપલાવ્યું હતું અને તેના સગડ મેળવી મહેસાણાના ઉંઝા ઉનાવ ગામેથી બંનેને પકડી પાડી જામનગર લઈ આવવામાં આવ્યા હતા જ્યાં સગીરાનું મેડિકલ કરાતા તેના પર દુષ્કર્મ થયું હોવાનું ખૂલતા પોલીસે તે કલમનો ઉમેરો કરી આરોપીને અપહરણ, પોક્સો અને દુષ્કર્મના કેસ અંગે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

સગીરાને ભગાડી જનાર અને દુષ્કર્મ આચરનાર આરોપી ઝાકીરને પકડવો પોલીસ માટે પડકાર બન્યું હતું તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો ન હતો. ફક્ત ઈસ્ટાગ્રામ પર તેના મિત્રો અને સગાઓ સાથે કોન્ટેક રાખીને વાત કરતો હતો જેથી પોલીસ તેને શોધી ન શકે પરંતુ પોલીસે તેનો પણ તોડ શોધી લીધો અને તેને પકડી પાડ્યો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version