જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા નીકળેલા જુલુસ દરમિયાન કોમી એકતા ના દર્શન થયા
-
ચાંદી બજાર સ્થિત ગણેશ મરાઠા મંડળ ના આયોજકો દ્વારા મુસ્લિમ આગેવાનો નું ફુલહાર થી અભિવાદન કરાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ સપ્ટેબર ૨૪, જામનગરમાં આજે મુસ્લિમોના ઇદના તહેવાર ને લઈને ચાંદી બજાર સર્કલમાંથી નીકળેલા ઝુલુસ દરમિયાન કોમી એકતાના દર્શન થયા હતા. ચાંદી બજાર સ્થિત ગણેશ ના પાંડાલ પાસેથી ઝુલુસ પસાર થયું ત્યારે ગણપતિ મંડળના આયોજકોએ મુસ્લિમ બિરાદરોના મુખ્ય હોદ્દેદારો અને આગેવાનો નું ફૂલહાર થી સ્વાગત કરાતાં કોમી એખલાસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.