Home Gujarat Jamnagar નિર્મળ જીગ્નેશ (AMC -Tex) અને ગોવિંદ નંદાણીયા ( હાઉસ ટેકસ-વ્યવસાય વેરા) પાસેથી...

નિર્મળ જીગ્નેશ (AMC -Tex) અને ગોવિંદ નંદાણીયા ( હાઉસ ટેકસ-વ્યવસાય વેરા) પાસેથી ચાર્જ લઈ લેતા ખડભળાટ : આંતરિક વિવાદ કારણભૂત..!

0

નિર્મલ જીગ્નેશ અને ગોવિંદ નંદાણીયા વચ્ચે ચાલતો આંતરિક વિવાદનો અંત…જામનગર મહાનગર પાલિકાના નવનિયુકત કમિશનરે ચિફ એકાઉન્ટ નિર્મલ જીગ્નેશ પાસેથી એમસી ટેકસનો ચાર્જ લઈ લેતા ખડખળાટ.

મનપામાં ટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નંદાણીયા પાસેથી હાઉસ ટેક્સ અને વ્યવસાય વેરા ટેકસની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવતા ચર્ચાએ જોર પકડયું છે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧ર. જામનગર મહાનગર પાલિકામાં છેલ્લા ઘણા સમયથી ચીફ એકાઉન્ટન્ટ નિર્મલ જીગ્નેશ અને ટેક્સ ઓફિસર ગોવિંદભાઈ નંદાણીયા વચ્ચે આંતરિક વિવાદ ચરમસીમાએ હોય જેમાં નિર્મળ જીગ્નેશે ગોવિંદ નંદાણીયા વિરુદ્ધ બે વાર કમિશનરને ખાનગી રિપોર્ટ કર્યો હોય જેની તપાસ પણ ચાલતી હોય જેની આંતરિક વિખવાદની લડાઈ જગ જાહેર હોય તેવામાં મ્યુનિસિપલ કમિશનરે બંને પાસેથી ચાર્જ લઇ બંને ચાર્જ મુક્ત કર્યા હતા જેથી મનપામાં હડકંપ મંચી ગઈ હતી.હાલ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ ટેક્ષનો ચાર્જ  ડો. ભાર્ગવ ડાંગરને (AMC)ને આપવામાં આવેલ છે. જ્યારે હાઉસ ટેકસ અને વ્યવસાય વેરા ટેકસનો ચાર્જ નાયબ ઇજનેર મુકેશ બી. ચાવડા આપવામાં આવતા મનપામાં સોપો પડી ગયો હતો અને કર્મચારીમાં અંદરો-અંદર ખુશ -કુસ શરૂ થઈ જતાં જેને લઇ  મનપામાં સારી એવી ચર્ચાં જાગી છે.

 

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version