Home Gujarat Jamnagar જામનગરમાં આર્થિક સંકટથી ત્રસ્ત ગુર્જર સુથાર વેપારીએ કરી આત્મહત્યા

જામનગરમાં આર્થિક સંકટથી ત્રસ્ત ગુર્જર સુથાર વેપારીએ કરી આત્મહત્યા

0

જામનગરમાં આર્થિક સંકટથી ત્રસ્ત વેપારીએ કરી આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ગોલ્ડન સીટી વિસ્તારના કોપર એન્કલેવ નામના એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 503 માં રહેતા અને ઓનલાઈન કાપડ નો વેપાર કરતા નરેશભાઈ મગનલાલ સુદ્રા નામના 55 વર્ષના ગુર્જર સુતાર જ્ઞાતિ ના વેપારીએ ગઇકાલે રાત્રીના પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત આણ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના પત્ની અલ્પનાબેન નરેશભાઈ સુદ્રા એ પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ નિમાવત ઘટનાસ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકની મકાન ની લોન ચાલુ હતી, અને તેના હપ્તા ભરતા હતા. પરંતુ હાલમાં આર્થિક સંકટ હોવાના કારણે હપ્તા ભરવામાં પહોંચી શકતા ન હતા.

ઉપરાંત તેઓને હાઈ-બ્લડપ્રેશર તેમજ ટી.બી.ની બીમારી પણ હોવાથી આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version