Home Gujarat Jamnagar જામનગરમાં વેપારી બુઝુર્ગનો અગમ્ય કારણોસર આપઘાત

જામનગરમાં વેપારી બુઝુર્ગનો અગમ્ય કારણોસર આપઘાત

0

જામનગરમાં ખોજા ગેઇટ વિસ્તારમાં રહેતા વેપારી બુઝુર્ગનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત

  • વ્યાજખોરોના ત્રાસ ના કારણે આત્મહત્યા કરી લીધાનો પરિવારજનો નો આક્ષેપ: પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક ની તપાસ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ જુલાઈ ૨૪, જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા એક વેપારી બુઝુર્ગે ગઈકાલે કાલાવડ નાકા બહાર ઝેરી દવા પી લઈ આત્માહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું હતું વ્યાજખૌરોના ત્રાસના કારણે આ પગલું ભરી લીધું હોવાના પરિવારજનો ના આક્ષેપ બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.

આ બનાવની વિગતે એવી કે જામનગરમાં ખોજાગેઇટ વિસ્તારમાં રહેતા ઇબ્રાહિમભાઈ અલ્લારખાભાઈ ડાકોરા નામના ૬૦ વર્ષના વેપારીએ ગઈકાલે સાંજે કાલાવડ નાકા બહાર ઝેરી દવા પી લઇ આત્માહત્યાનો પ્રયાસ કરતાં તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ બાબતે મૃતકના પરિવારજનો દ્વારા વ્યાજખોરો ના ત્રાસથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનો આક્ષેપ કરાયો હતો. આ બનાવવા બાબતે પોલીસને જાણ થવાથી સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ કે બ્લોચ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જયારે આત્મહત્યાના બનાવના સંદર્ભમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version