જામનગરના જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવેની જગ્યા ઉપરના ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
ઝુપડા,ત્રણ ધાર્મિક સ્થળ સહિતનું ગેરકાયદે દબાણ દૂર કરાયું
સ્થાનિક કોર્પોરેટર દોડી આવ્યા, રેલવેના અધિકારીને રજૂઆત કરી પણ કામ ન આવી..
જેમાં ત્રણેક ધાર્મિક સ્થળો પણ આવી જતા હોવાથી સ્થાનિક આગેવાનો દોડી આવ્યા હતા, અને ડીમોલેશન રોકવા માટે રેલવે તંત્રને રજૂઆત કરી હતી.
રેલવે તંત્ર ઉપરાંત સીટી બી ડિવિઝન નો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો, આ ઓચિંતી કાર્યવાહીથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે કચવાટની લાગણી ફેલાઇ હતી. અને વિરોધ થયો હતો. પરંતુ રેલવે તંત્ર દ્વારા અન્ય દબાણો દૂર કરીને રેલવે ની જગ્યા ખુલ્લી કરાવવા નું કાર્ય અવિરત ચાલુ રાખ્યું હતું.