જામનગરના મોરકંડા પંથકની ધારી પાસે કોળી યુવાનની કરપીણ હત્યાથી અરેરાટી
- હત્યારાઓની ભાળ મેળવવા પોલીસ ઉંદ્યા માથે
- પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાની શોધખોળ આદરી.
- પ્રમ પ્રકરણ કે જૂની અદાવત કારણભૂત છે કે કેમ.? તે દિશામાં સધન તપાસ.
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩ સપ્ટેમબર ૨૨ જામનગર શહેર નજીક આવેલા મોરકંડા ધારી વિસ્તારમાં કોળી હત્યાની ઘટના બની હોવાના સમાચાર મળતા પંચ – બી પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા મૃતક યુવાન જામનગર ગોકુલનગરનો રહીશ હોવાનું ખુલ્યું હતું. જેને લઇ પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી
પોલીસ તપાસમાં મૃતક યુવકનું નામ સુરેશ ઉર્ફે ગડો રમેશભાઈ મકવાણા ( ઉ.વ. 24 ) હોવાનું ખુલ્યું હતું ,અને સુરેશ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારનો રહેવાસી હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું . સુરેશના માથા અને મોઢાના ભાગ પર બોથડ પદાર્થના ઘા મારીને હત્યા નીપજાવવામાં આવી હતી.