ગેરકાયદેસર શેર બજારનો ડબ્બો ચલાવતા આરોપીઓનો નિદોર્ષ છુટકારો
-
આરોપીઓ શેરબજારના ભાવો અને કોમોડીટી ટ્રાન્સેકશનનો ગેરકાયદેસર રીતે ટ્રેડીંગ ચલાવી અને ડબ્બો ચલાવતા હતા
-
ધી-સીકયોરીટી કોન્ટ્રાકટ રેગ્યુલેશન એકટ તળેની ફરીયાદમાં આરોપીઓને નિદોર્ષ ઠરાવી છોડી મુકતી નામ.સેશન્સ અદાલત
-
વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીઓનો નિર્દોષ છુટકારો ફરમાવ્યો હતો
દેશ દેવી ન્યૂઝ તા. ૨૪ ડિસેમ્બર ૨૪ આ કેશની હકિક્ત એવી છે કે, એલ.સી.બી. પોલીસ કર્મચારીઓએ બાતમી મળેલ કે, આરોપીઓ ગેરકાયદેસર રીતે કોઈ મંજુરી વગર સીક્યુરીટીઝ શેર બજારનો અને સોના ચાંદીના ભાવ ઉપર હરાજી કરી વેપાર કરે છે, અને ગ્રાહકોને સભ્ય બનાવી અલગ અલગ કંપનીના શેર ઉપર લેતી દેતી કરે છે અને સોના ચાંદીના અને કોપર ક્રૂડ જીંક નિકલ લીડ જેવી ધાતુંની લેતી દેતીના હિસાબો લઈ સોદા કરે છે અને તેના પાસે આવા ધંધા વેપાર માટેનું સરકાર શ્રી તરફથી અધિકૃત કરેલ કોઈ લાયસન્સ અને પરવાના વગર ગેરકાયદેસર ડબ્બો ચલાવે છે .
તેનાથી રેવન્યુને અને શેરબજારને મોટી નુકશાની થાય છે અને સરકાર શ્રીના રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં પણ મોટી નુકશાની થાય છે તો આ પ્રકારના આરોપીઓને પુરેપુરી સજા કરવી જોઈએ તેમ દલીલો કરવામાં આવેલ, તેની સામે આરોપી તરફે દલીલો કરવામાં આવેલ કે, જે રીતે રેઈડ કરવામાં આવેલ છે અને ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે તે હકિકતે સીકયોરીટી કોન્ટ્રાક્ટ એન્ડ રેગ્યુલેશન એકટ તળે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે, તે અન્વયે મહત્વનો પુરાવો આ કામે જે રીતે કોન્ટ્રાક્ટની બાબત આવશ્યક છે, આ કામે સમગ્ર તપાસ ધ્યાને લેવામાં આવે તો આ પ્રકારનો કોન્ટ્રાકટ સેબી સાથે થયેલ છે કે, કેમ તે બાબતનો કોઈ પુરાવો આવેલ નથી અને આ સમગ્ર તપાસ દરમ્યાન સરકાર તરફથી આ જે દુકાન ચાલતી હતી તે ક્યાંય નોંધાયેલ નથી અને આ બાબતની કોઈ ચોકકસ સંસ્થા અને સેબીના કોઈ જ પ્રકારના નિવેદનો હુકમો કે, લેટર વિગેરેની કોઈ જ કાર્યવાહીઓ થયેલ નથી, તે તમામ ધ્યાને લેતા આ બાબતે કોન્ટ્રાકટ થયેલ છે કે, કેમ ? તે બાબતનો કોઈ જ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી, તેથી આરોપીઓને સજા થઈ શકે નહીં, અને પંચોએ જે સમર્થન આપેલ છે તે માત્ર અને માત્ર પંચોએ સમર્થન આપેલ છે તેટલા કારણોથી સજા થઈ શકે નહી, પરંતુ કાયદામાં જે પ્રસ્થાપીત કરેલ છે તે સીધ્ધાંતો મુજબ આ કામે કોઈ કોન્ટ્રાક્ટ અંગેના કરાર થયેલ છે કે, કેમ તે બાબતે કોઈ તપાસ થયેલ નથી,
તે હકિકતો ધ્યાને લઈ અને સમગ્ર તપાસ ઉપર શંકા ઉત્પન્ન થયેલ છે, અને ફોજદારી કાર્યવાહીઓના સીધ્ધાંતો મુજબ શંકા જયારે રેકર્ડ ઉપર આવેલ હોય તે સંજોગોમાં આરોપીઓને નિદોર્ષ ઠરાવવા જોઈએ જે દલીલો કરવામાં આવેલ, આમ નામ.અદાલતે તમામ દલીલો રેકર્ડ અને રજુઆતો અને જુબાની ધ્યાને લઈ અને આરોપી રજનીક પટેલ અને નિરવ તાલપરાને નિદોર્ષ ઠરાવી અને છોડી મુકવાનો હુકમ કરેલ છે, આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસીહ આ૨.ગોહીલ , રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.