જામનગર ના લાખોટા તળાવમાં આવતીકાલે જે કેનાલ મારફતે પાણી પહોંચાડવાનું છે , તે કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ માર્ચ ૨૫, જામનગર શહેર ની મધ્યમાં આવેલા લાખોટા તળાવ કે જેમાં પાણી ભરવા માટે દરેડ થી જામનગર સુધીની કેનાલ બનાવાઈ છે, જે કેનાલમાં આવતીકાલે રંગમતી ડેમમાંથી પાણી છોડીને તળાવ ભરવાનું છે તે પહેલાં દરેડની કેનાલમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવતાં દોડધામ થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે જ્યારે રંગમતી ડેમમાંથી પાણી છોડવામાં આવે, ત્યારે આ પ્રદૂષિત થયેલું પાણી જો લાખોટા તળાવમાં આવશે, તો લાખોટા તળાવનું પાણી પણ પ્રદૂષિત બનશે. એટલું જ માત્ર નહીં તેમાં રહેલા માછલાંઓ સહિતના પાણીના જીવો પર પણ જોખમ તોડાયેલું છે. જે અંગે મહાનગરપાલિકાના તંત્રએ ખૂબ જ તકેદારી રાખવી જરૂરી છે.