Home Gujarat Jamnagar જામનગરમાં વકીલની હત્યાના ગુન્હામાં પકડાયેલો બસીર સાયચા 7 દિવસનાં રિમાન્ડ પર

જામનગરમાં વકીલની હત્યાના ગુન્હામાં પકડાયેલો બસીર સાયચા 7 દિવસનાં રિમાન્ડ પર

0

જામનગરમાં એડવોકેટની હત્યાના ગુન્હામાં પકડાયેલો સાયચા ગેંગનો એક ૭ દિવસ નાં રિમાન્ડ પર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૦ માર્ચ ૨૪ , જામનગર મા અઠવાડિયા પહેલા એક એડવોકેટ ની હત્યા નિપજાવવામાં આવી હતી.જેમાં સંડોવાયેલા બેડીની કુખ્યાત સાયચા ગેંગના એક શખ્સને પોલીસે એ પકડી પાડ્યો છે. અને તેના ૭ દિવસ નાં રિમાન્ડ મંજૂર થયા છે.જામનગરના બેડી વિસ્તારમાં ગત બુધવારે એડવોકેટ હારૂનભાઈ પલેજા ની હત્યા નીપજવવામાં આવી હતી. જેમાં કુખ્યાત સાયચા ગેંગના ૧૫ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ ગુના નાં આરોપીઓ ને પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુ એ ડીવાયએસપી જે.એન. ઝાલા ના વડપણ હેઠળની સીટ ની તપાસ સમિતિ ની રચના કરવામાં આવી હતી.દરમિયાન આ ગેંગના બશીર જુસબ સાયચા નામના એક આરોપી ને પોલીસ દ્વારા ઝડપી લેવાયો હતો. આ શખ્સની મોડીરાત્રે જોડીયા તાલુકાના બાલંભામાંથી ધરપકડ કરવામાં આવ્યા પછી આજે તેને ૧૪ દિવસની રિમાન્ડ ની માંગણી સાથે અદાલત મા રજૂ કરવામાં આવ્યો હતો.જયા તેને ૭ દિવસ નાં રિમાન્ડ ઉપર સોંપવા નો હુકમ થયો છે. જેની પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલો લોખંડનો પાઇપ, તેમજ એક સ્કૂટર વગેરે કબ્જે લેવાયા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version