Home Gujarat Jamnagar જામનગરમાં રતનબાઇ મસ્જિદ HS પેન્ટર પાસે ક્રિકેટ “ન” રમવા બાબતે સર્જાઈ બબાલ...

જામનગરમાં રતનબાઇ મસ્જિદ HS પેન્ટર પાસે ક્રિકેટ “ન” રમવા બાબતે સર્જાઈ બબાલ : વજીર યુવાનને ધોકો ફટકાર્યા

0

જામનગરમાં મારમારીના બે કેસ: ક્રિકેટ રમવા બાબતે બબાલ

  • છૂટા પૈસા કેમ નથી આપતો તેમ કહી યુવાનને માર માર્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: તા.૧૯ જુલાઇ ૨૧ જામનગર શહેરમાં મારામારીના બે બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. જેમાં શહેરના રતનબાઇ મસ્જિદ પાસે ક્રિકેટ રમવા બાબતે માથાકૂટ થઇ જયારે ગ્રીનસીટીમાં પૈસાના છૂટા કેમ નથી આપતો તેમ કહીને એક યુવાનને લમધારી નાખવામાં આવ્યો હતો.

જામનગર શહેરના રતનબાઇ મસ્જિદ પાસે વજીર ફળી, એચએસ પેઇન્ટર પાસે ક્રિકેટ રમતા સૌરવ અશ્વિનભાઇ રાઠોડ નામના વજીર યુવાનને ઘર પાસે ક્રિકેટ રમવાની ના પાડી મલઇ નરેન્દ્રભાઇ મહેતા નામના શખસે ગાળો આપી લાકડાના બેટ વડે માથાના ભાગે માર મારતા 10 ટાંકા આવ્યા હતાં તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેની સામે પોલીસ ફરિયાદ થઇ છે.

જયારે બીજા બનાવમાં શહેરના રણજીતસાગર રોડ ગ્રીનસીટી શેરી નં. 3માં બપોરના સમયે ત્યાં ઉભેલા હોશિયાર સીંગ ભાલસીંગ કુડુ નામનો યુવાનને અજય રાજેન્દ્રભાઇ બરછા નામના શખસે આવી 2 હજાર રૂપિયાના છૂટા આપો તેમ કહેતા હોશિયારસિંહે છૂટા નથી તેમ કહેતા અજયે ઉશ્કેરાઇ જઇ તેને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી અને પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા તેની વિરૂધ્ધ પોલીસમાં રાવ થઇ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version