Home Gujarat Jamnagar જામનગરમાં જૂની અદાવતમાં બબાલ: યુવાન ઉપર હુમલો કરી, બાઇક સળગાવ્યું: ત્રણ સામે...

જામનગરમાં જૂની અદાવતમાં બબાલ: યુવાન ઉપર હુમલો કરી, બાઇક સળગાવ્યું: ત્રણ સામે ફરિયાદ

0

જામનગરમાં જૂની અદાવતમાં બબાલ: યુવાન ઉપર હુમલો કરી, બાઇક સળગાવ્યું: ત્રણ સામે ફરિયાદ

જામનગર: જામનગરમાં હર્ષદમીલની ચાલી પાસે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા મુકેશભાઈ જાનીભાઈ શર્મા નામના શખ્સ ઉપર જૂની અદાવતના કારણે લાલપુર બાયપાસ પાસે રહેતા દિવ્યરાજસિંહ કિશોરસિંહ ચૌહાણ, વનરાજસિંહ નારૂભા ચૌહાણ અને પરેશ ઉર્ફે પરિયો ભૂત નામના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

ઉપરાંત તેનું મોટરસાયકલ સળગાવી નાખી રૂપિયા 30 હજારની નુકસાન પહોંચાડી હતી. જે બનાવવા અંગે ત્રણેય આરોપીઓ સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય હુમલાખોર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ પણ ઝઘડા થઈ ચૂક્યા છે, અને પોલીસ ફરિયાદ કરાઇ હતી જેની અદાવત કરી હુમલો કરાયાનું પોલીસમાં નોંધાયું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version