Home Gujarat Jamnagar જામનગરમાં સગપણ તૂટી જવાનું મનમાં લાગી આવતા સતવારા કોન્ટ્રાક્ટર પર ઘાતક...

જામનગરમાં સગપણ તૂટી જવાનું મનમાં લાગી આવતા સતવારા કોન્ટ્રાક્ટર પર ઘાતક હથિયારો વડે હુમલો

0

જામનગર: સગપણ તૂટી જવાનું મનમાં લાગી આવતા કોન્ટ્રાક્ટર પર ઘાતક હથિયારો વડે હુમલો

સાળી સાથે સગાઇ તુટી જતા ભાવી સાઢ્ ને ઢીબી નાખ્યો.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના કાલાવડ નાકા બહાર બાલનાથ મંદિર પાછળ રહેતા કોન્ટ્રાક્ટર રજનીકાંત મહેશભાઈ ખાણધર ઉંમર વર્ષ 26 એ ગઈકાલે સીટી-એ ડિવિઝનમાં બાલનાથ મંદિર પાછળ જંગલ વાળા વાડી પાસે રહેતા અજય કાના ખાણધર નામના શખ્સ વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે ફરિયાદીની સાળીની સગાઈ આરોપી સાથે થયેલ હોય અને આરોપીની સગાઇ તુટી જતાં આ બાબતનો ખાર રાખીને ફરિયાદીને અપશબ્દો બોલી, પાઇપ વડે હુમલો કરીને માથા અને હાથમાં ઇજા પહોંચાડી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version