Home Gujarat Jamnagar જામનગરમાં અશાંતધારો લાગુ કરો : શરૂઆત અમારાથી કરો : ક્લેક્ટરને ૨જુઆત કરાઇ

જામનગરમાં અશાંતધારો લાગુ કરો : શરૂઆત અમારાથી કરો : ક્લેક્ટરને ૨જુઆત કરાઇ

0

જામનગરમાં અશાંતધારો લાગુ કરવાની માંગ સાથે મેયર બન્યા આક્રમક.

ગુજરાતના અન્ય શહેરોમાં અશાંતધારો લાગું છે.તો જામનગરમાં કેમ નહી.!દેશ દેવી ન્યુઝ જામનગર ૧૯ જુલાઇ ૨૨. જામનગરના પંચવટી સોસાયટીમાં આવેલ તમામ બંગ્લોઝ , ફલેટ , પ્લોટસને ‘ ‘ ગુજરાત અશાંતધારા ‘ ‘ અંતર્ગત સુરક્ષા કવચ આપવાની માંગ સાથે વિસ્તારવાસી દ્વારા ક્લેકટરને આવેદન આપવામાં આવ્યું હતું તેમાં પંચવટી ગૌશાળા વિસ્તારવાસીઓ જણાવ્યું હતું કે તેવો છેલ્લા ૪૦ વર્ષ થી વસવાટ કર છે હાલ તે વિસ્તારમાં ૬૦ % હિન્દુ પરિવાર વસાવટ કરે છે . અને ૪૦ % અન્ય પરિવાર વસવાટ કરે છે અમારી સોસાયટીમાં વિદ્યર્થીઓ દ્વારા ઓછા ભાવે મકાન પડાવી લેવા બાબતે કારસો થતા રહે છે .

તદ્ઉપરાંત વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર જમાતખાનું , ફાયરીંગ , સોપારી આપવી એવી ઘટનાઓ બનેલી છે . અને બે પ્લોટોમાં હાલ લેન્ડ ગ્રેબીંગ હેઠળ કેસ ચાલું છે . પ્રવર્તમાન સંજોગોમાં અમારી સોસાયટીના વિસ્તારમાં રહેતાં તમામ હિન્દુ પરિવારોના પારંપરિક સંસ્કારો , રીતીરીવાજો તથા જીવનપ્રણાલી અન્ય ધર્મ કરતા અલગ હોવાના કારણે અને સંસ્કૃતિની રક્ષા થાય તેવા શાંતિપૂર્ણ ઉપાય તરીકે “ ગુજરાત અશાંતધારો ” અન્ય મહાનગરપાલિકા જેવા કે , સુરત , અમદાવાદ , વડોદરા , રાજકોટ અને નગરપાલિકા પાટણ , અંબાજીની જેમ જામનગર શહેરમાં પંચવટી સોસાયટીમાં તાત્કાલિક અસ૨થી અન્ય શહેરોની માફક અમારા વિસ્તારમાં ઝડપથી અમલીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા ક્લેક્ટરને રજુઆત કરવામાં આવી હતીસાથો સાથ આવનારા વર્ષોમાં લોકો શાંતિ અને સલામતિથી રહી શકે તે માટે ઉપરોક્ત બાબતે પંચવટી ગૌશાળામાં તમામ બંગ્લોઝ , પ્લોટ , ફ્લેટને ‘ ગુજરાત અશાંતધારો ” અંતર્ગત સુરક્ષા કવચ પુરુ પાડવાની માંગ કરી હતી વોર્ડ નં-૫ના વિસ્તારમાં વાસીઓ સાથે ભાજપના નગરસેવક નિલેશ કગથરા, ભાવીન ભોજાણી, સહિતના આગેવાનો, વિરતારવાસીઓ હાજર રહ્યા હતા.અશાંત વિસ્તારો કે જે વિસ્તારમાં કોમી તોફાનોના બનાવ બન્યા હતા, તેવા વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે છે, તેમજ ખોટી કનડગત કે હેરાનગતિ ન થાય, ધાકધમકીથી મિલકતો પચાવી ન પાડે અને નાગરિકોની શાંતિ અને સલામતી જોખમાય નહી તે માટે અશાંત ધારો લાવવામાં આવ્યો હતો. કોઈ એક ચોક્કસ સમુદાયના લોકોની ખૂબ વસ્તી વધી ન થાય અને ખાસ કરીને એક ધાર્મિક સમુદાય બીજા ધાર્મિક સમુદાયને મિલ્કત વેચી ન જાય તે પ્રકારની મિલકતને તબદિલી નિયંત્રિત કરતો કાયદો એ અશાંત ધારો કહેવાય છે. આવા વિસ્તારમાં મિલકતની તબદિલી માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version