Home Gujarat Jamnagar જામનગરમાં આંધળા પ્રેમનો વધુ કિસ્સો બે સંતાનોની માતા સાથે લગ્નની જીદે યુવાને...

જામનગરમાં આંધળા પ્રેમનો વધુ કિસ્સો બે સંતાનોની માતા સાથે લગ્નની જીદે યુવાને એસીડ પીધું!

0

જામનગરમાં આંધળા પ્રેમનો વધુ કિસ્સો: બે સંતાનોની માતા સાથે લગ્નની જીદે યુવાને એસીડ પીધું!

રામેશ્વરનગર નજીક જડેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતા પચીસ વર્ષના એક યુવાને પરિણીત પ્રેમીકા સાથે લગ્ન બાબતે માતા-પીતા રાજી ન હોય એસીડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

જામનગર: જામનગર માં રામેશ્વર નગર નજીક જડેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતા અને એક કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતા હાર્દિક દિનેશભાઈ પેથાણી નામના 25 વર્ષના યુવાને ગઈકાલે સાંજે 7.30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે એસિડ પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને તાબડતોબ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો.

જ્યાં તેને સમયસર સારવાર મળી ગઈ હોવાથી પોતે ભાનમાં આવી ગયો હતો.

જી.જી. હોસ્પિટલ ની પોલીસ ચોકીના એ.એસ.આઇ. મગનભાઈ ચનિયારાએ તેનું નિવેદન નોંધ્યું હતું જેમાં પોતે પાલિતાણાની વતની અને જૂનાગઢના ભેસાણમાં સાસરે પરણાવેલી પરંતુ તેનું લગ્ન વિચ્છેદન થઈ જતાં હાલ તેના ભાઈ સાથે સુરતમાં રહેતી પોતાની જ્ઞાતિની અને બે સંતાનોની માતા એવી રીનાબેન સોલંકી સાથે મિત્રતા બંધાઈ હતી. ફેસબુકના માધ્યમથી અઢીવર્ષ પહેલાં એકબીજાના સંપર્કમાં આવ્યા પછી પોતે એક મહિના માટે સુરત રીનાબેન ને મળવા ગયો હતો, અને વધુ નજીક આવ્યા હોવાથી બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું હતું.

જે બાબતે જામનગર આવ્યા પછી પોતાના માતા-પિતાને જાણ કરતાં તે બન્નેએ બે સંતાનોની માતા એવી છુટાછેડા મેળવેલી યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી હતી. આ ઉપરાંત રીનાબેનના પરિવારજનો પણ ના પાડતા હોવાથી આખરે ગઈકાલે રીનાબેને લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. જેથી તેના મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.

સાથોસાથ પોતાના માતાપિ તા રીના સાથે લગ્ન કરવા દેતા ન હોવાથી પોતે માતા-પિતા સાથે પણ ઝઘડો કર્યો હતો, અને અલગ મકાન રાખીને રહેતો હતો. જેઓ સાથે પણ પોતે આડુ અવળું બોલ્યો હતો. જે અંગે પણ મનમાં લાગી આવ્યું હોવાથી એસિડ પી લીધું હોવાની કબૂલાત કરી છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version