જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે ઓવરબ્રિજ ના કામ સંદર્ભે આવતીકાલ થી ૫૦ દિવસ માટેનું વધુ એક જાહેરનામું બહાર પડાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪, માર્ચ ૨૫ જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તા સર્કલ થી સુભાષ બ્રિજ માટેના ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે, ત્યારે સાત રસ્તા સર્કલ પાસે બ્રિજ ના ઓવરહેડ કામના સંદર્ભમાં વાહન વ્યવહાર માટે મ્યુનિ. કમિશનર દ્વારા આવતીકાલ તારીખ ૫ થી આગામી ૨૫.૪.૨૦૨૫ સુધી ૫૦ દિવસ માટેનું વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.