Home Gujarat Jamnagar રાજ્યભરમાં અતિ ચકચારી બનેલા કોલેજીયન યુવતિ ગેંગરેપ ,આપધાતમાં ‘અનીલ મેર’ નિદોષ

રાજ્યભરમાં અતિ ચકચારી બનેલા કોલેજીયન યુવતિ ગેંગરેપ ,આપધાતમાં ‘અનીલ મેર’ નિદોષ

0

જામનગરના અતી ચર્ચાસ્પદ ગેંગરેપ ત્યા કોલેજીયન યુવતીને મરવા મજબુર કરવાના કેશમાં આરોપીને નિદોર્ષ જાહેર કરતી અદાલત

  • આરોપીઓ દારૂ પીવડાવી બળાત્કાર કરી અને બિભત્સ વિડીયો બનાવી અને બ્લેકમેઈલ કરી અને વારંવાર શારીરીક શોષણ કરતા હોય યુવતીએ સ્યુસાઈટ નોટ લખી અને આત્મહત્યા કરી લીધેલ હતી

  • બચાવ પક્ષના એડવોકેટ રાજેશ ગોસાઇની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી અનીલ મેર નિર્દોષ જાહે૨

  • આ જ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને દસ દસ વર્ષની સજા અને દંડ ફટકારીમાં આવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩૧ જાન્યુઆરી ૨૫ જામનગર સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા કોલેજીયન યુવતી આપઘાત પ્રકરણમાં  આ કેશની હકિકત એવી છે કે, જામનગર સીટી ‘સી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતાએ એવી ફરીયાદ જાહેર કરેલ કે, તેમની પુત્રી ઉ.વર્ષ ૨૧ વાળાઓ જેઓ ટી.વાય.બી.કોમમાં અભ્યાસ કરતા હતા તેમને ઝેરી દવા પી અને આપધાત કરેલ અને તેમની અંતીમવીધી બાદ તેમના ઘરે તપાસ કરતા આ મરણજનાર પુત્રીએ એક સ્યુસાઈટ નોટ લખેલ મળી આવી હતીજેમાં જણાવેલ કે, આરોપીઓ ધમકી આપતા કે, તું હું કહું તેમ કર, નહીતો ઘરનાઓને મારી નાખીશું ત્થા આરોપીઓ રસ્તે રોકી સાથે આવવાની ધમકી આપતા અને જો નહી આવે તો દવા પીવડાવી અને મારી નાખીશું, તેના ડરના કારણે તેમના સાથે ધરારથી જવું પડતું અને આ લોકોના કોઈ ફ્રેન્ડ બહારથી આવે તો પણ મારે જવું પડતું અને મારા વીડીયો ઉતારતા અને મને ધરારથી ડ્રીન્ક કરાવતા અને નશાની હાલતમાં મારા વીડીયો બનાવી અને મને બ્લેકમેઈલ કરી અને શરીર સંબંધ વારંવાર બાંધતા, જેના કારણે મારે આ પગલું ભરવું પડેલ છેતેવી સ્યુસાઈટ નોટ મળતા ફરીયાદીએ તેમની દિકરી સાથે આ રીતે બળાત્કાર અને ધમકીઓ આપી અને દબાણ કરી અને માર મારી અને નશાની હાલતમાં તેમના સાથે બળાત્કાર કરી અને બિભત્સ વિડીયો ઉતારી લઈ અને તેમને પરીવારને મારી નાખવાની ધમકીઓ આપેલ હોય, તેથી સ્યુસાઈટ કરેલ હોવાની ૪ આરોપીઓ સામે ફરીયાદ જાહેર કરેલ જેમાં તપાસ કરતા આરોપીઓની અટક કરવામાં આવેલ અને નામ.અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલ, તેમાં કેસ ચાલી જતાં તમામ સાક્ષી પુરાવાઓ તપાસમાં આવેલ અને મરણજનાર દિકરીએ જે સ્યુસાઈટ નોટ લખેલ તે પણ નામ.અદાલતમાં રજુ થયેલ અને કેશ ચાલી ગયેલ, આ કેશ ચાલી ગયા બાદ સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આરોપીઓએ ખુબજ હિન્ન ગણાતું કૃત્ય કરેલ છે.આ માત્ર બળાત્કારનો અને સ્યુસાઈટનો કેશ નથી પરંતુ આ સમગ્ર સમાજને અસર કરતો કેસ છે અને જે દિકરી મરણ ગયેલ છે, તેમની જે સ્થીતી આરોપીઓએ બનાવેલ છે તે તમામ હકિક્તો સામે આવેલ છે અને આ સમગ્ર કૃત્યમાં આરોપીઓ તેમના ફેન્સ બહારગામથી બોલાવી અને તેમના સાથે પણ શરીર સંબંધ બંધાવી અને બિભત્સ વિડીયો બનાવતા આ એક ખુબજ ગંભીર અપરાધ છે, અને ફરીયાદી અને સાક્ષીઓએ તમામે જુબાની આપેલ છે અને તમામ સાક્ષી સાહેદો જે હકિકત છે, તે વડગી રહેલ છે જેથી આ કેશમાં આરોપીઓને મહતમ સજા થવી જોઈએ તેની સામે આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયા તરફે રજુઆતો કરવામાં આવેલ કે, સમગ્ર હકિકત અને ફરીયાદ ધ્યાને લેવામાં આવે અને કેશ જે ચાલી ગયેલ છે, તે પુરાવો ધ્યાને લેવામાં આવે તો આ કામના આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયાને ખોટી રીતે આ ગુન્હામાં સંડોવી દીધેલ છે અને એકપણ જુબાનીમાં કોઈ સાહેદ કે, સાક્ષીએ આ આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયા દ્વારા મરણજનાર સાથે કોઈ દુષ્કૃત્ય કરેલ હોય, કે ફરીયાદ મુજબના જે આક્ષેપો છે તેમાં અનીલ મેર ઈન્વોલ્ડ હોય, તેવો કોઈ જ ઠોસ પુરાવો નામદાર અદાલતમાં આવેલ નથી, અને સ્યુસાઈટ નોટમાં પણ અનીલ મેરનું નામ નથી, જેથી આ કામે આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયાને ખોટી રીતે સંડોવી દીધેલ હોય, અને તેમને કોઈ ગુન્હો કરેલ નથી તેવું સમગ્ર રેકર્ડ ધ્યાને લેતા સામે આવે છે, જેથી આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયાને નિદોર્ષ મુક્ત કરવો જોઈએ, આમ નામ.અદાલતે તમામ રેકર્ડ અને કેશની હકિકતો અને પુરાવાનું મુલ્યાંકન કર્યા બાદ આ કામના આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયાને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી અનીલ જગદીશભાઈ થાપલીયા તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ ગોહીલ , રજનીકાંત નાખવા , નિતેષ મુછડીયા રોકાયેલા હતા

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version