Home Gujarat Jamnagar જામનગરના ઉદ્યોગનું કેમિકલવાળું અને પ્રદૂષિત પાણી રંગમતી નદી માં ઠલવાતા રોષ

જામનગરના ઉદ્યોગનું કેમિકલવાળું અને પ્રદૂષિત પાણી રંગમતી નદી માં ઠલવાતા રોષ

0

જામનગર ના ઉદ્યોગ નું કેમિકલવાળું અને પ્રદૂષિત પાણી રંગમતી નદી મા ઠલવાતા રોષ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૭ જુલાઈ ૨૪ જામનગર માં ભાગોળે આવેલા ઉદ્યોગનગર નું પાણી કેમિકલ વાળું પાણી સીધું રંગમતી નદી માં ઠલવાતું હોવાથી જમીનના તળ ના પાણી પણ પ્રદુષિત થઈ રહ્યા છે. આ અંગે વિરોધ કરવામાં આવ્યો છે.

જામનગરના કોંગ્રેસ અગ્રણી પાર્થ પટેલના જણાવ્યા પ્રમાણે ઉદ્યોગ નગર ના કારખાનામાંથી નીકળતા કેમિકલ વાળા અને પ્રદૂષિત પાણીનો નિકાલ રંગમતી નદીના પાણીમાં કરવામાં આવે છે પરિણામે નદી નું પાણી પણ પ્રદૂષિત થાય છે જેમાં થી ઢોર પાણી પીતાં હોય છે .આ ઉપરાંત જમીનના તળના પણ પાણી પ્રદૂષિત થતા અનેક લોકો ડંકી બોર માંથી પાણી પીતા હોવા થી તેમના આરોગ્ય ઉપર પણ ખતરો ઝળૂંબી રહ્યો છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જામનગર મહાનગરપાલિકાની કચેરી દ્વારા આ ગંભીર બાબતે કોઈ પગલાં પણ લેવામાં આવતા નહિ હોવાનો તેમણે આક્ષેપ પણ કર્યો છે.હકીકતે આવા પ્રદૂષિત પાણીને ટ્રીટમેન્ટ કર્યા બાદ જ નદીમાં છોડવું જોઈએ તેવી પણ તેમણે માંગણી કરી છે

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version