Home Gujarat Jamnagar જામનગરમાં મંગળવારે ઘટી ‘અમંગળ’ ઘટના : અકસ્માતમાં પતિ પત્નિના મોત

જામનગરમાં મંગળવારે ઘટી ‘અમંગળ’ ઘટના : અકસ્માતમાં પતિ પત્નિના મોત

0

જામનગરમાં મંગળવારે ઘટી ‘અમંગળ’ ઘટના ચંગા પાટીયા નજીક ગોઝારા અકસ્માતમાં પતિ-પત્નિના મોત

  • એક જ પરિવારના અન્ય ત્રણ લોકો ઘાયલ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ ઓક્ટોબર ર૩ જામનગરમાં મંગળવારે એક ‘અમંગળ’ ઘટના ઘટતા કરૂણાંતિકા સર્જાઇ છે જેમાં ચંગા પાટીયા નજીક ગોઝારા અકસ્માતમાં પતિ-પત્નિના મોત નિપજયા હતા તેમજ એક જ પરિવારના અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મૃતકોમાં દંપતીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ચંગા ગામના પાટીયા નજીક આજે સવારના સમયે જીજે-05-આરઈ-7078 અને જામનગરની જીજે-10-ડીજે-9234 નંબરની બે કાર સામસામી ધડાકાભેર અથડાતા બંને કારનો આગળના ભાગનો ભુકકો બોલી ગયો હતો. અકસ્માતમાં કારમાં બેસેલા પાંચથી છ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને ત્યાંથી અકસ્માતમાં ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પ્રાથમિક તારણમાં આ અકસ્માતમાં કાંતિભાઈ પોપટભાઈ અને તેમના પત્ની શારદાબેન કાંતિભાઈ નામના દંપતીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અંદાજે ત્રણ વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે સ્થળ પર પહોંચી જઇ બંને મૃતદેહોને પીએમ માટે મોકલવા તથા સંપૂર્ણ ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version