Home Gujarat Jamnagar જામનગરના નાગર ચકલામાં બાલ્કનીમાંથી અકસ્માતે નીચે પટકાના વૃઘ્ધનું મોત

જામનગરના નાગર ચકલામાં બાલ્કનીમાંથી અકસ્માતે નીચે પટકાના વૃઘ્ધનું મોત

0

જામનગરના નાગરચકલામાં બાલ્કનીમાંથી અકસ્માતે નીચે પટકાના વૃઘ્ધનું મોત

દેશ દેવી ન્યૂઝ નેટવર્ક જામનગર oર. જામનગરમાં હવાઈ ચોક નજીક નાગર ચકલા વિસ્તારમાં જોઈશર ટાવર એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા પ્રદીપભાઈ બાલાભાઇ વીસાણી નામના 60 વર્ષના બુઝુર્ગ ગઈકાલે રાત્રે નવેક વાગ્યાના અરસામાં પોતાના ફ્લેટની બાલ્કનીમાં ઉભા હતા

જે દરમિયાન અકસ્માતે બાલ્કનીમાંથી નીચે પટકાઈ પડતાં તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર મોહિત પ્રદીપભાઇ વિસાણી એ પોલીસને જાણ કરતાં સીટી-એ ડિવિઝનના મહિલા પીએસઆઇ વી.કે રાતિયા ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version