જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમાં વહેલી સવારે આગની ઘટનાથી ભારે દોડધામ
-
આગમાં ડ્રાયફ્રુટ ની ચીજ વસ્તુ- ફૂટવેર નો સામાન બ્રાસ નો માલ વગેરે બળીને ખાખ થતાં લાખોનું નુકશાન
-
ફાયર બ્રિગેડની ટુકડીએ બે કલાકની જહેમત બાદ પાણીના ૩ ટેન્કર વડે પાણી નો મારો ચલાવી આગને બુઝાવી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ જૂન ૨૪ જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમાં રાખવામાં આવેલા જુદા જુદા સામાન ને આગ ના કારણે ભારે નુકસાની થઈ છે. જેમાં ડ્રાયફ્રુટ નો માલ સામાન, ફૂટવેર- સેનેટરીવેર બ્રાસ નો સામાન વગેરે બળીને ખાખ થયા છે. ફાયરવિભાગની ટુકડીએ જહેમત લઈ આગને બુઝાવી હતી.