Home Gujarat Jamnagar જામનગરના સિદ્ધાર્થનગર વિસ્તારમાં ઘરમાં ઘુસી દંપત્તિની હત્યાનો પ્રયાસ

જામનગરના સિદ્ધાર્થનગર વિસ્તારમાં ઘરમાં ઘુસી દંપત્તિની હત્યાનો પ્રયાસ

0

જામનગરના સિદ્ધાર્થનગર વિસ્તારમાં ઘરમાં ઘુસી દંપત્તિની હત્યાનો પ્રયાસ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૪ એપ્રિલ ૨૩  જામનગરમાં સિદ્ધાર્થ નગર શેરી નંબર 4 માં રહેતા દેપાળભાઈ સોમાભાઈ મકવાણા (46) અને તેના પત્ની હીનાબેન (40) કે જેઓ ગઈકાલે રાત્રે પોતાના ઘેર ટીવી જોઈ રહ્યા હતા, જે દરમિયાન પાડોશમાં જ રહેતો કાનો ઉર્ફે ભૈયો પરમાર નામનો શખ્સ ઘરમાં ઘુસી આવ્યો હતો, અને રસ્તે ચાલવા જેવી જૂની અદાવતનું મનદુ:ખ રાખીને દંપત્તિ પર છરી વડે આડેઘડ હુમલો કરી દીધો હતો.

જેમાં હીનાબેનને ગળાના ભાગે તેમ છાતિના ભાગે છરીના ઘા વાગ્યા હતા, જયારે દેપાળ ભાઈ ને પણ ચ4રી ના ઘા વાગ્યા હતા, જેથી બંનેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હીનાબેન ની તબિયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે, તેમ જ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને દેપાળભાઈ ની ફરિયાદના આધારે આરોપી કાના ઉર્ફે ભૈયા પરમાર વિરોધ હત્યા પ્રયાસ અંગેની કલમ 307 ઉપરાંત 452 અને 324 હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version