Home Gujarat Jamnagar 219 વિદ્યાર્થીઓ સાથે એર ઈન્ડિયાનું વિમાન મુંબઈ પહોંચ્યું; સરકારે આ અભિયાનને ‘ઓપરેશન...

219 વિદ્યાર્થીઓ સાથે એર ઈન્ડિયાનું વિમાન મુંબઈ પહોંચ્યું; સરકારે આ અભિયાનને ‘ઓપરેશન ગંગા’નામ આપ્યું..

0

219 વિદ્યાર્થીઓ સાથે એર ઈન્ડિયાનું વિમાન મુંબઈ પહોંચ્યું; સરકારે આ અભિયાનને ‘ઓપરેશન ગંગા’નામ આપ્યું..

યુક્રેનથી આવ્યા ભારત માટે રાહતના સમાચાર : 219 ભારતીયોનું પ્રથમ ગ્રુપ મુંબઈ પહોંચ્યું..

એર ઈન્ડીયાની એક સ્પેશિયલ ફ્લાઈટ રોમાનિયાથી 219 ભારતીયોને લઈને મુંબઈમાં આવી છે.

યુક્રેનમાંથી 219 ભારતીયોની વતન વાપસી : 219 ભારતીયોને લઈને એર ઈન્ડીયાની ફ્લાઈટ મુંબઈ પહોંચી..દેશ દેવી ન્યુઝ જામનગર 26 યુદ્ધમાંથી બચ્યાંનો આનંદ :રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના ત્રીજા દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-1943 ત્યાં ફસાયેલા 219 ભારતીય વિદ્યાર્થીઓને લઇને આજે રાત્રે 8 વાગ્યે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. વિમાને બપોરે રોમાનિયાના બુકારેસ્ટથી ઉડાન ભરી હતી. મુંબઈના એરપોર્ટ પર તેમના માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. યુદ્ધમાંથી બચ્યાંનો આનંદ લોકોમાં સ્પસ્ટ રીતે જોઈ શકાતો હતો. પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ લોકો ભાવવિભોર થયા હતા અને તેમના ચહેરા પર આનંદ સ્પસ્ટ રીતે જોવા મળતો હતો. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ અને હંગેરીના રસ્તે પાછા લાવવામાં આવી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version