Home Gujarat Jamnagar સાંઢિયા પુલ નજીક આહિર યુવાન ઉપર છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ

સાંઢિયા પુલ નજીક આહિર યુવાન ઉપર છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ

0

સાંઢિયા પુલ નજીક આહિર યુવાન ઉપર છરી વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ

જામનગરના સાંઢીયા પુલવાળા રોડ પર એક આહીર યુવાન પર પાઇપ અને છરી વડે હુમલો કર્યાની ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી અહિર યુવાન બાઇક લઇને ગાયનું લીલુ લેવા જતો હતો ત્યારે હુમલો કરીને ધમકી આપવામાં આવી હતી.

હાલ તો પોલીસ દ્વારા ફરીયાદ નોંધી કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે .

જામનગરના ઇન્દીરા રોડ જનતા ફાટક પાસે રહેતા અને અભ્યાસ કરતા રામદેવ દિપકભાઇ ચાવડા (ઉ.વ. ૨૭ ) નામના યુવાને ગઇકાલે સીટી સી ડીવીઝનમાં ગોકુલનગરના કનુ વિક્રમ કંડોરીયા , જામજોધપુર તાલુકાના બમથીયા ગામના દિનેશ વિક્રમ કંડોરીયા , વિક્રમ કેશુ કંડોરીયાની સામે આઇપીસી કલમ -૩૨૪ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬( ૨ ) , ૧૧૪ તથાજીપીએક્ટ ૧૩૫-૧ મુજબ ફરિયાદ નોંધાવી છે.

ફરીયાદી રામદેવ ચાવડા ગત તારીખ .૧૩ ના રોજ પોતાનું મોટર સાયકલ લઇ લીલુ લેવા માટે જતા હતા ત્યારે સાંઢીયા પુલ રોડ પર આરોપીઓએ પાઇપ, છરી વડે હુમલો કરી શરીરે ઇજા પહોંચાડી હતી , તેમજ એકબીજાને મદદગારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. પોલીસ દ્વારા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version