રાજકોટની ગેમઝોન ની ગોઝારી દુર્ઘટના બાદ જામનગર શહેર ના તમામ ગેમ ઝોન બંધ કરાવાયા
-
જામ્યુકૉની એસ્ટેટ શાખા- ફાયર શાખા તેમજ પીજીવીસીએલ સહિતની ટીમ દ્વારા નગરમાં સર્વે બાદ કામગીરી હાથ ધરી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ મે ૨૪, રાજકોટમાં ગેમ ઝોન માં સર્જાયેલી દુર્ઘટના ના પડઘા જામનગરમાં પણ પડ્યા છે, અને લાખોટા તળાવની પાળ તેમજ ખોડીયાર કોલોની વિસ્તારમાં ચાલી રહેલા ગેમઝોન ને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકા ની એસ્ટેટ દ્વારા બંધ કરાવી દેવાયા છે. ઉપરાંત તેઓ દ્વારા ફાયર બ્રિગેડનું એનઓસી સહિતની મંજૂરી લેવામાં આવી છે કે કેમ, તેની પણ ખરાઈ કરવામાં આવી રહી છે. બીજી બાજુ શહેરમાં ચાલતા તમામ ગેમ ઝોન બંધ કરાવ્યા હતા